બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:28 PM, 24 April 2023
લોકસભાની ચૂંટણી પહેલા તમામ વિપક્ષીદળોને એક કરવામાં લાગેલા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સોમવારે કોલકત્તામાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. બિહારનાં ડેપ્યૂટી CM તેજસ્વી યાદવ પણ આ બેઠકમાં જોડાયા હતાં.
મમતા બેનર્જીએ આપ્યો સકારાત્મક જવાબ
આ બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે મેં નીતીશજીને વિનંતી કરી છે કે જયપ્રકાશજીનું આંદોલન બિહારમાં થયું હતું તો આપણે પણ બિહારમાં ઓલ પાર્ટી મીટિંગ કરીએ. અમને એક સંદેશો આપવો છે કે આપણે સૌ એક સાથે છીએ.તેમણે કહ્યું કે જો વિઝન અને મિશન સાફ છે તો આપણે સાથે લડશું એ નિશ્ચિત છે. મેં તો પહેલા જ કહ્યું હતું કે મને આ બાબતથી કોઈ વાંધો નથી. ભાજપ ઘણી મોટી હીરો બની ગઈ છે અને હવે તેને ઝીરો બનાવવું છે. આપણે સાથે આગળ વધશું. આપણો કોઈ વ્યક્તિગત અહંકાર નથી, આપણે સૌ એકસાથે આ કરવા ઈચ્છીએ છીએ.
हीरो से ज़ीरो ...बीजेपी बहुत बड़ा हीरो बन गया अब उसको ज़ीरो बनाना है.... नीतीश और ममता की हुई मुलाक़ात के बाद सुनिए ममता बनर्ज़ी ने क्या कहा... pic.twitter.com/bWzVNMeumM
— Prakash Kumar (@kumarprakash4u) April 24, 2023
નીતીશ કુમારે શું કહ્યું?
બિહારનાં CM નીતીશ કુમારે કહ્યું કે જે સત્તામાં છે તે માત્ર પોતાની ચર્ચા કરે છે બીજું કંઈ જ નહીં. આ આઝાદીની લડત છે આપણે એલર્ટ રહેવાનું છે. આ લોકો ઈતિહાસ બદલી રહ્યાં છે. હવે ખબર નહીં કે આ (ભાજપ) ઈતિહાસ બદલશે કે શું કરશે.. સૌએ સાવચેત રહેવાનું છે તેથી જ અમે બધાંની સાથે વાતચીત કરી રહ્યાં છીએ. અમારી વચ્ચે ઘણી સારી ચર્ચા થઈ છે. જરૂરિયાત અનુસાર અમે ભવિષ્યમાં અન્ય પાર્ટીઓને સાથે લાવીને આ અંગે ચર્ચા કરશું. મમતાજી સાથે આ વિષયે ઘણી સકારાત્મક વાતચીત થઈ છે.
'ચૂંટણીમાં તમામ દળો એકસાથે આવવા જોઈએ'
લોકસભા 2024ની ચૂંટણીને લઈને નીતીશ કુમારે કહ્યું કે વિપક્ષી દળોએ એકસાથે બેસીને રણનીતિ તૈયાર કરવાની આવશ્યકતા છે. આવતી લોકસભા ચૂંટણીમાં તમામ દળો એકસાથે આવવા જોઈએ. આગળ જે પણ થશે તે દેશહિત માટે કરવામાં આવશે. જે લોકો અત્યારે શાસનમાં છે તેમની પાસે કરવા માટે કંઈ જ નથી. તે માત્ર પોતાનો પ્રચાર કરી રહ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh