બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Bihar: Chirag Paswan to return to NDA! Nityananda came to meet Rai, will he also get a place in the Modi cabinet?
Last Updated: 02:38 PM, 9 July 2023
ADVERTISEMENT
એકબાજુ લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તો બીજી તરફ વિવિધ પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન થવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રવિવારે LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જમુઈના સાંસદ ચિરાગ પાસવાન સાથે પટનામાં તેમના એસકેપુરી નિવાસસ્થાને મુલાકાત કરી. આ બેઠક બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજકીય જાણકારોના મતે આ બેઠક દરમિયાન ચિરાગ પાસવાનના NDAમાં જોડાવાની તારીખ નક્કી કરવામાં આવી હશે. આ સાથે જ ચિરાગ પાસવાન મોદી કેબિનેટમાં સામેલ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે નિત્યાનંદ રાયે આ મીટિંગ વિશે કહ્યું હતું કે ચિરાગ પાસવાનનું ઘર અમારું જૂનું ઘર છે. અહીં અમારો જૂનો સંબંધ છે અને હંમેશા રહેશે.
ADVERTISEMENT
आज बिहार प्रदेश कार्यालय श्री कृष्णापुरी में केंद्रीय गृह राज्य मंत्री आदरणीय श्री @nityanandraibjp जी ने लोक जनशक्ति पार्टी (रामविलास) के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @iChiragPaswan जी से मुलाकात की। pic.twitter.com/IHzUWK5VsV
— Lok Janshakti Party (@LJP4India) July 9, 2023
ADVERTISEMENT
મહાગઠબંધન વડાપ્રધાનના કામથી ડરે છે
નિત્યાનંદ રાયે કહ્યું કે ભાજપ અને રામવિલાસે પોતાની સેવાથી દેશને ખુશ રાખવાનું કામ કર્યું છે. ચિરાગ સાથેની અમારી વાત ક્યારેય બગડી ન હતી કે બનવાની વાત ઉભી થઈ રહી છે. વાસ્તવમાં મહાગઠબંધન વડાપ્રધાનના કામથી ડરે છે. મહાગઠબંધનમાં નર્વસનેસના કારણે પરસ્પર તકરાર થઈ રહી છે. વિપક્ષી નેતાઓ એક થવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, દેશની જનતા પહેલાથી જ વડાપ્રધાન માટે એક થઈ ગઈ છે.
ADVERTISEMENT
आज बिहार प्रदेश कार्यालय श्री कृष्णापुरी में राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @iChiragPaswan जी ने पार्टी के राष्ट्रीय पदाधिकारी एवं बिहार प्रदेश के पदाधिकारियों के साथ बैठक कर गठबंधन के स्वरूप को लेकर विस्तृत चर्चा की । pic.twitter.com/3QPJffzdP2
— Lok Janshakti Party (@LJP4India) July 9, 2023
ADVERTISEMENT
ભ્રષ્ટાચારી ગુનાખોરીને પ્રોત્સાહન આપનારને જનતા પસંદ નથી કરતી
લાલુ યાદવના પડકાર અંગે નિત્યાનંદ રાયે કહ્યું કે લોકશાહીમાં જનતાની શક્તિ હોય છે. ભ્રષ્ટાચારી ગુનાખોરીને પ્રોત્સાહન આપનારને જનતા પસંદ નથી કરતી. વિરોધ પક્ષ માત્ર ભ્રષ્ટાચાર માટે એકજૂટ છે, જનતા માટે એકતા નથી. બીજી તરફ તેજસ્વી યાદવની ચાર્જશીટ પર નિત્યાનંદ રાયે કહ્યું કે જો ભ્રષ્ટાચારના ગુના કરનારાઓ સામે કાયદો કાર્યવાહી કરી રહ્યો હોય તો તેમાં ખોટું શું છે.
ADVERTISEMENT
બિહારમાં જંગલરાજનું વાતાવરણ
તેમણે કહ્યું કે બિહારમાં જંગલરાજનું વાતાવરણ છે. બિહારમાં ગુનાખોરીની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. 10 મહિનાની સરકારમાં 5000 થી વધુ ગુનાહિત ઘટનાઓ બની છે. બિહારમાં સુશાસનની વાતો થાય છે, શું આ છે સુશાસનનું રહસ્ય. નિતીશજી તેજસ્વી વિશે જે પણ વિચારે છે, બિહારના લોકોએ તેમના વિશે વિચાર્યું છે. નીતિશ કુમારને ફરી સત્તામાં લાવવાના નથી, લોકો મન બનાવીને જ વોટ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.