બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Before the Lok Sabha elections, the issue of tickets in Leuva and Kadwa Patidar in Rajkot
Malay
Last Updated: 03:40 PM, 16 October 2023
Rajkot News: આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યાજાવા જઈ રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં ટિકિટ મુદ્દે મથામણ શરૂ થઈ ગઈ છે. લેઉવા અને કડવા પાટીદારમાં ટિકિટ મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે. લેઉવા પટેલમાં નરેશ પટેલ અને ભરત બોઘરાના નામની ચર્ચા તેજ બની છે. જ્યારે કડવા પાટીદારમાં મૌલેશ ઉકાણી અને બ્રિજેશ મેરજાના નામની ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે ગઈકાલે સી.આર.પાટીલે મૌલેશ ઉકાણીને રાજકોટથી લડવાની ઓફર કરી હતી. જોકે, મૌલેશ ઉકાણીએ રાજકારણમાં આવવાનો ઈનકાર કર્યો હતો. સી.આર પાટીલના નિવેદન બાદ મોહન કુંડારિયાની ટિકિટ કપાવાની સંભાવના છે.
સી.આર પાટીલે આપ્યું હતું નિવેદન
રાજકોટમાં કડવા અને લેઉવા પાટીદાર સમાજે ટિકિટ માટે અત્યારથી જ લોબિંગ શરૂ કર્યું છે. ગતરોજ રાજકોટ ખાતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને રક્ત પૂરૂ પાડવા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા. રાજકોટ ખાતે વિશ્વબંધુ રક્તદાન મહોત્સવમાં પહોંચેલા સી.આર પાટીલે નિવેદન આપ્યું હતું કે, એક ચર્ચા એવી છે કે મૌલેશભાઈને લોકસભામાં લઈ જવાના છે. મૌલેશભાઈ આવતા હોય તો જરૂર લઈ જઈએ.
મારે રાજકારણમાં જવું નથીઃ મૌલેશ ઉકાણી
ત્યારે સી.આર પાટીલના લોકસભાના નિવેદન મામલે મૌલેશ ઉકાણીએ કહ્યું હતું કે, 'મારો રસ્તો દ્વારકાનો છે, મારે ગાંધીનગર કે દિલ્હી જવું નથી. મને ઓફર આપી તે બદલ સી.આર પાટીલનો આભાર. પરંતુ મારું કામ લોકસેવાનું છે નહીં કે રાજકારણ કરવાનું. મેં અગાઉ પણ કહ્યું છે કે મારે રાજકારણમાં જવું નથી.'
મુખ્યમંત્રીની મુલાકાતથી અનેક અટકળો
તો બીજી બાજુ થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના ઘરે ભોજન લીધું હતું. લોકસભાની ચૂંટણી પહેલાં જ અચાનક નરેશ પટેલ સાથે મુખ્યમંત્રીની મુલાકાતથી અનેક અટકળો લગાવાઈ રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh