બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishnu
Last Updated: 11:17 PM, 25 July 2022
બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. જેમાં ઝેરી દારૂ પીવાથી વધુ લોકોના મોત થયાની આશંકા છે. મોતના આંકડો મોટો હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. VTV ન્યૂઝ પાસે એક્સક્લુઝીવ માહિતી આવી છે. રોજીદ ગામે 17 લોકોએ ઝેરી દારૂ પીધો હોવાનો દાવો કરાયો છે. હાલમાં 7 જ લોકો સારવાર હેઠળ હોવાનો રેન્જ IGનો દાવો કર્યો છે. સમગ્ર મામલે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. રોજિદ ગામના લોકો 7થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરી રહ્યા છે.
પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇઃ ભાવનગર રેન્જ આઈજી
કથિત લઠ્ઠાકાંડનો મામલે ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવે નિવેદન આપ્યું છે. રેન્જ આઇજીએ કહ્યું કે, પોલીસની ટીમો અલગ-અલગ વિસ્તારમાં મોકલાઇ છે. બુટલેગરોને પકડવા માટે ટીમો મોકલાઇ છે. જે અસરગ્રસ્તો છે તેમની સારવાર ચાલી રહી છે. ક્રિટીકલ છે તેમને ભાવનગર હોસ્પિટલ ખસેડાયા છે. 1 વ્યક્તિું મોત થયું છે. અત્યાર સુધી 7 લોકો સારવાર હેઠળ છે. DySPની અધ્યક્ષતામાં SITની રચના કરાઇ છે.
હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએઃ અલ્પેશ ઠાકોર
બરવાળાના રોજીદ ગામે કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ. વહીવટી તંત્ર અને અધિકારીઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. હલકી ગુણવત્તાનો દારૂ બનાવનાર સામે કાર્યવાહી કરો. દોષિતોને લાંબાગાળાની સજા થવી જોઈએ. પોતાના ફાયદા માટે કેટલાક લોકો હલકી ગુણવત્તા વાળો દારૂ બનાવે છે.
દારુનું વેચાણ બંધ કરાવવા સરપંચે SPને લખ્યો હતો પત્રઃ મનહર પટેલ
આ મામલે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. મનહર પટેલે ઘટનાને લઇને કહ્યું કે, રોજિદ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા બાબતે રજૂઆત કરી હતી. સરપંચે બોટાદ SPને પત્ર લખ્યો હતો.
મોટા અધિકારીઓ પહોંચ્યા રોજીદ ગામની મુલાકાતે
નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર રોજીદ ગામની મુલાકાતે દોડી ગયા હતા. અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત લઈ પૂછપરછ હાથ ધરી છે. રોજીદના કથિત લઠ્ઠાકાંડના 9 અસરગ્રસ્તો ભાવનગર લવાયા છે. અસરગ્રસ્ત 9 પૈકી 2 ની હાલત અતિગંભીર છે, લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધવાની પણ શકયતા છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાથમિક રીતે મળતી વિગત અનુસાર આ કથિત લઠ્ઠાકાંડમાં 4 લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે. જેમાં બોટાદ 1 વ્યક્તિનું મૃત્યુ ઝેરી લઠ્ઠો પીવાથી થયું હોવાનું મોત થયું છે. 17 લોકોને બોટાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તો વધુ ગંભીર દર્દીઓને ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મામલો જોર પકડે તે પહેલા જ અમદાવાદ અને બોટાદ જિલ્લાની પોલીસે તપાસ આદરી દીધી છે. અમદાવાદના SP બોટાદના રોજીદ જવા રવાના થઈ ગયા છે. કારણ કે રોજીદના દારૂના અડ્ડાઓ પરથી દારૂ લીધો હોવાની માહિતી સામે આવી છે. હાલ સત્તાવાર એકનું મોત દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે સ્થાનિકોમાં 7 કે તેથી વધુ લોકોના મોતની ચર્ચા થઇ રહી છે.મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે કારણ કે જીવલેણ દારૂની અસરથી દાખલ થયેલાઓમાં પણ ઘણખરા ગંભીર હાલતમાં છે.
લઠ્ઠો પીવાથી મૃત્યુ કેમ થાય છે?
જીવલેણ લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર કોણ?
ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા આપણા ગુજરાતમાં આજે હચમચાવનારી ઘટના બની. બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે 7થી વધુ લોકો મોત થયાની ચર્ચા છે.જો કે સત્તાવાર રીતે પોલીસ માત્ર એક જ વ્યક્તિનું મોત થયાનું પોલીસ કહી રહી છે. ઝેરી દારૂના સેવન બાદ બીમાર પડેલા લોકોને બોટાદ અને ભાવનગરમાં સારવાર અપાઈ રહી છે.અને રેન્જ આઈજી સુધીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચુક્યા છે.પરંતુ આખા ઘટનાક્રમના કારણે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના કાયદા અને તેના પાલન પર ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે... કારણકે કદાચ જ કોઈ એક દિવસ એવો હશે, જ્યારે કોઈ જિલ્લામાંથી દારૂ ઝડપાવાના સમાચાર સામે ન આવ્યા હોય.અન્ય રાજ્યોમાંથી આવતો વિદેશી દારૂ ગુજરાતમાં દારૂબંધી માટે જેટલો પડકારજનક છે, તેનાથી પણ વધુ મુશ્કેલ કામગીરી, ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રોક લગાવવામાં થતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સવાલ ઉઠે છે કે શું ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે?. ગુજરાતમાં જીવલેણ લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર કોણ છે?. દેશી દારૂ બનાવતા લોકો પાસે ઈથાઈલ આલ્કોહોલ જેવા રસાયણ ક્યાંથી આવે છે?. શું દારૂ વિરોધી થતાં પોલીસના અભિયાનો કારગર નથી? કે પછી સ્થાનિક પોલીસની મિલિભગતનું પરિણામ જ લઠ્ઠાકાંડ છે?.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh