બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / Ayushman Card Modi government is preparing to make a big announcement for 41 crore people of middle class and poor class
Megha
Last Updated: 11:26 AM, 22 December 2023
હજુ પણ દેશમાં દરેક લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ નથી અને આ લોકોને ડર લાગે છે કે જો કોઈ કરણોસર હોસ્પિટલ જવું પડશે તો એ સમયે પૈસા ક્યાંથી આવશે? એવામાં હવે મિડલ ક્લાસ લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 2024 ચૂંટણી પહેલા સરકારે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે.
Ayushman card = guarantee of free health treatment!
— Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2023
In a significant milestone aimed at making quality healthcare accessible to all, over 1 crore Ayushman Cards have been created under the ongoing #ViksitBharatSankalpYatra.
Under the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya… pic.twitter.com/jKIHw2FUyl
કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે
સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. એ વાત તો જાણીતી જ છે કે લોકસભા ચૂંટણી 2024 નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ પહેલા કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્માન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને 10 લાખ રૂપિયા કરવા વિચારી રહી છે.
દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી
જો આમ થશે તો આ નિર્ણયની અસર વ્યાપક જોવા મળશે. નોંધનીય છે કે દેશમાં લગભગ 41 કરોડ લોકો પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી અને આયુષ્માન યોજના હેઠળ સરકાર પાસે કુલ 60 કરોડ લોકોને લાવવાનો લક્ષ્યાંક છે. જે હજુ પૂર્ણ થવાનો બાકી છે. માનવામાં આવે છે કે વચગાળાના બજેટમાં આ અંગે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.
5 લાખ રૂપિયાની સહાયને બદલે 10 લાખ રૂપિયા મળશે!
આયુષ્માન યોજનાની સમીક્ષામાં એ વાત સામે આવી છે કે ઘણા મામલાઓમાં 5 લાખ રૂપિયાની મર્યાદા પર્યાપ્ત નથી. કેટલીક મોટી સર્જરી અને સારવારનો ખર્ચ ઘણો વધારે છે. સમિતિએ કહ્યું છે કે મધ્યમ વર્ગના પરિવારો પર હોસ્પિટલનો ખર્ચો આવ્યા બાદ ગરીબી રેખા નીચે જવાના જોખમનો સામનો કરે છે.
જુલાઇથી ગુજરાતના લોકોને મળી રહી છે 10 લાખ રૂપિયાની સહાય
અંહિયા એક વાત જણાવી દઈએ કે 1 જુલાઇથી ગુજરાતના આયુષ્માન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત મળતી રૂ. 5 લાખની આરોગ્ય વીમા કવચની સહાય વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રૂ.10 લાખની આરોગ્ય વીમા સહાયથી હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય જેવા ટ્રાન્સપ્લાન્ટની સાથે સાથે કોક્લિયર ઇમ્પાન્ટ સહિતની અન્ય જટીલ પ્રકારની સર્જરીઓ પણ હવેથી આ કાર્ડ અંતર્ગત સરળતાથી મળવાપાત્ર બનશે.
PM મોદીએ શરૂ કરી હતી યોજના
અત્રે મહત્વની બાબત એ પણ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વર્ષ 2012 મુખ્યમંત્રી અમૃતમ (MA) યોજનાની શરૂઆત કરીને રૂ.2 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં આ યોજનાનું વિસ્તરણ કરીને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (મા-વાત્સલ્ય) અંતર્ગત વીમા સહાય રૂ. 3 લાખ કરવામાં આવી. નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વર્ષ 2018મા PMJAY આયુષ્માન કાર્ડની શરૂઆત કરીને રૂ.5 લાખની આરોગ્ય વીમા સહાય આપવાની શરૂઆત સમગ્ર દેશમાં કરી. જેને ગુજરાત સરકારે પણ અપનાવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં PMJAY-મા કાર્ડ યોજના હેઠળ આ આરોગ્ય વીમા સહાય આજે રૂ.10 લાખની થઇ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh