બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 07:06 PM, 7 March 2023
આયુર્વેદ એક એવી ચિકિત્સા પ્રણાલી છે, જેનો ઉપયોગ સદીઓથી થઇ રહ્યો છે. આ પદ્ધતિમાં ગંભીર રોગોનો ઇલાજ પણ છુપાયેલો છે. આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેક્ટ હોતી નથી. આ પદ્ધતિના સાવ સરળ લાગે તેવા નિયમો જો અનુસરવામાં આવે તો તમે સ્વસ્થ રહેશો અને કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે.
રોજ સવારે જલદી ઊઠોઃ
સવારે સૂર્યોદય થાય તે પહેલાં પથારી છોડી દો. આયુર્વેદ અનુસાર સૂર્યોદય સમયે વાતાવરણ એકદમ શુદ્ધ અને નિર્મળ હોવું જોઇએ. તે તમારા શરીર માટે લાભદાયક છે, તેનાથી તમને તાજગી મળે છે.
નિત્યક્રિયા છે ખૂબ જરૂરીઃ
સવારે ઊઠતાં સૌથી પહેલાં મળમૂત્રનો ત્યાગ કરો, તેનાથી તમારા શરીરની અંદર રહેલાં ઝેરીલાં તત્ત્વો બહાર નીકળે છે અને તમે તાજગી તેમજ હળવાશ અનુભવો છો. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટે બેથી ત્રણ ગ્લાસ પાણી પીઓ. યોગાસન અને પ્રાણાયામ કરવાનું ક્યારેય ના ભૂલતાઃ રોજ ઓછામાં ઓછી ૩૦થી ૪૦ મિનિટ યોગાસન અને પ્રાણાયામ માટે ફાળવો, તેનાથી તમે સ્વસ્થ રહી શકશો.
નિયમિત માલિશ શરીરને મજબૂત બનાવશેઃ
રોજ સરસવ, નારિયેળ કે અન્ય કોઇ ઔષધીય તેલથી શરીર પર ૧૫ મિનિટ માલીશ કરો, તેનાથી તમારાં હાડકાં મજબૂત થશે અને તમારા શરીરનો બધો થાક દૂર થશે. રોજ ના કરી શકો તો વીકમાં બે વાર જરૂર કરો.
આ નિયમો પણ જરૂરથી પાળજો
- દિવસમાં લગભગ ત્રણથી ચાર લિટર પાણી પીઓ. રાતે સૂતી વખતે વધુ પાણી ન પીઓ.
- સવારે ઊઠ્યાના એકથી બે કલાકની અંદર જ નાસ્તો કરી લો. ખાવાનું પૌષ્ટિક હોય તે ખૂબ જરૂરી છે.
- જમ્યા પછી તરત પાણી ન પીઓ, કેમ કે તેનાથી જમવાનું પચતું નથી. અડધાથી પોણા કલાકનું અંતર રાખો.
- ભોજન કર્યા પછી તરત પરિશ્રમવાળું કામ ના કરો.
- આઠથી નવ કલાકની એકધારી, સારી ઊંઘ લો. સૂતાં પહેલાં ઠંડા પાણીથી હાથ અને પગ ધુઓ, તેનાથી સારી ઊંઘ આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh