બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Pravin Joshi
Last Updated: 09:42 PM, 26 March 2024
અયોધ્યાના શ્રી રામ મંદિર પરિસરમાં તૈનાત PACના પ્લાટૂન કમાન્ડરને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મંગળવારે 53 વર્ષીય કમાન્ડન્ટ રામ પ્રસાદને શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી સ્થળ પર હંગામો મચી ગયો હતો. કમાન્ડરને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો.
અન્ય સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ફાયરિંગનો અવાજ સાંભળીને નજીકમાં હાજર અન્ય સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે રામ પ્રસાદને છાતીમાં ગોળી વાગી હતી અને તે લોહીથી લથપથ જમીન પર પડેલા હતા. આ માહિતી તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી અને તેમને ડિવિઝનલ હોસ્પિટલ દર્શન નગરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી પરિસ્થિતિને જોતા તેને ટ્રોમા સેન્ટર લખનૌ રીફર કરવામાં આવ્યો. તે અમેઠીનો રહેવાસી છે અને તેનો પરિવાર લખનૌમાં રહે છે.
કમાન્ડરને ગોળી વાગી
માહિતી આપતાં અયોધ્યા રેન્જના આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું કે, એક પ્લાટૂન કમાન્ડરને ગોળી વાગી છે. ગોળી અકસ્માતે છાતીમાંથી પસાર થઈ ગઈ હતી. જેના કારણે શરીરના ઘણા આંતરિક ભાગોને નુકસાન થયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે લખનૌ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો. હાલ સ્થિતિ નાજુક છે અને સારવાર ચાલી રહી છે. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો : ત્રણ માસૂમ દીકરીઓને ફાંસીએ લટકાવીને માતાએ પણ ખાધો ગળેફાંસો, કારણ કંપાવનારુ
પીએમ મોદીએ આ વર્ષે 24 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ આ વર્ષે 24 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી દેશભરમાંથી દરરોજ દોઢથી બે લાખ લોકો અયોધ્યા આવી રહ્યા છે. ભક્તો અયોધ્યામાં એકથી બે દિવસ વિતાવે છે. જેને લઈને મંદિરની સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મંદિરની સુરક્ષા માટે પીએસી તૈનાત કરવામાં આવી છે, જે દરેક ખૂણે-ખૂણે ચાંપતી નજર રાખી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh