બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Athos Salome prediction that in 2024 people will be able to talk with mourn after death

અજબ / પોતિકાઓના મોત બાદ લોકો શોક મનાવવાનું પણ ભૂલી જશે! 2024માં થવા જઈ રહ્યો છે ટેક્નોલોજીકલ ચમત્કાર

Vaidehi

Last Updated: 07:51 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે કોઈ મૃત સંબંધી કે મિત્રથી વાતચીત કરી શકશો અથવા તો પાછલા જન્મ સાથે સંકળાયેલા સીક્રેટ જાણી શકશો- બ્રાઝીલનાં એથોસે મોટી ભવિષ્યવાણી કરી છે.

  • બ્રાઝીલનાં રહેવાસી એથોસે કરી ભવિષ્યવાણી
  • 2024માં લોકો મૃત વ્યક્તિ પાછળ શોક મનાવવાનું ભૂલી જશે
  • પોતાની ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં આપી તમામ માહિતી

દુનિયાનાં દરેક ખૂણામાં જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે લોકો શોક મનાવે છે.  આ શોક સમય જતાં ઘટતો જાય છે અને લોકો ફરી એકવાર પોતાનું રોજિંદુ જીવન પહેલાની જેમ જીવવા લાગી જાય છે. લોકો પોતાના દુખનો ધીમે-ધીમે સ્વીકાર કરી લે છે.  ધીમે-ધીમે લોકો મૃત વ્યક્તિને ભૂલવા માંડે છે.  પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોકો કોઈના મૃત્યુ પર શોક મનાવવાનું જ બંધ કરી દે તો? કોઈનાં મૃત્યુ બાદ લોકો એ દુખનો સ્વીકાર જ ન કરે તો..?

પહેલાં પણ સાચી થઈ છે ભવિષ્યવાણીઓ
એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આવું 2024માં થઈ શકે છે. ભવિષ્ય જોઈ શકવાની ક્ષમતા ધરાવતાં બ્રાઝીલમાં રહેતાં એક વ્યક્તિ  Athos Salomeએ આવો દાવો કર્યો છે. તેમને પોતાની ભવિષ્યવાણીઓને લઈને જીવિત નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી થઈ છે. તેમણે ગયાવર્ષે મહારાણી એલિઝાબેથ દ્વિતીયની મોતથી લઈને એલન મસ્કનાં ટ્વીટરને એક્સમાં બદલવા અંગેની ઘટનાને લઈને ભવિષ્યવાણી કરી હતી.

2024ને લઈને ભવિષ્યવાણી
એથોસે હવે 2024ની સાલને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. તેમણે પોતાની ઈંસ્ટાગ્રામની પોસ્ટ પર લખ્યું કે 2024માં એક ક્રાંતિ આવશે જેમાં લોકો AIની મદદથી વાતચીત કરી શકશે.  આ કલ્પનાથી પર એક યાત્રા હશે. કલ્પના કરો કે તમે કોઈ મૃત સંબંધી કે મિત્રથી વાતચીત કરી શકશો અથવા તો પાછલા જન્મ સાથે સંકળાયેલા સીક્રેટ જાણી શકશો. આ બધું AIમાં ઈનોવેશનને લીધે શક્ય થશે.

એક મોટું પગલું
તેમણે કહ્યું કે આ ટેકનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સફળતા નથી પણ માનવયાત્રાને સમજવાની દિશામાં એક મોટું પગલું છે. આ રહસ્યો આપણાં જીવનમાં આરામ અને જીવનનાં મિશનની ગહન સમજ પ્રદાન કરવાનો વાયદો કરે છે. પણ આપણે તેના માટે કેટલા તૈયાર છીએ? વિશેષજ્ઞ આ મુદાઓ પર નજર રાખી રહ્યાં છે તેના પર ચર્ચા કરી રહ્યાં છે. આપણે આધ્યાત્મિક અને અસ્તિત્વ સંબંધિત ક્રાંતિ લાવવાનાં સ્ટેપ પર છીએ.

મૃત વ્યક્તિનું ડિજિટલ વર્ઝન 
તેમણે લખ્યું કે, એવા ઘણાં અહેવાલો છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક કંપનીઓ અને નિષ્ણાંતો આ વિષય પર કામ કરી રહ્યા છે. તેમાં કોઈ અંધશ્રદ્ધા નથી પણ તેમાં મૃત વ્યક્તિનું ડિજિટલ વર્ઝન બનાવવામાં આવશે જેમાં જીવતા લોકો સાથે વાત કરવાની સુવિધા મળશે . તેમાં GPT-4, સ્પીચ સિન્થેસિસ તેમજ AI જનરેશન ટૂલ્સ જેવા લેંગ્વેજ મોડલ્સનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ