બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / article 370 pakistan tension supreme court verdict foreign ministry will respond

Article 370 / અનુચ્છેદ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા પાકિસ્તાનને લાગ્યું મરચું, પૂર્વ PM શહબાજે ટ્વિટ કરી જુઓ શું કહ્યું?

Manisha Jogi

Last Updated: 05:21 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ કાશ્મીરમાંથી 370 હટાવ્યા પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટે જમ્મૂ કાશ્મીરમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે.

  • 370 હટાવ્યા પછી પાકિસ્તાનમાં ખળભળાટ
  • સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરવાનો આદે
  • વિદેશ મંત્રાલય આ બાબતે પ્રતિક્રિયા આપી શકે છે

જમ્મૂ કાશ્મીરમાંથી 370 હટાવ્યા પછી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય અને સંવિધાન સમ્મત ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં જણાવ્યું છે કે, અનુચ્છેદ 370 અસ્થાયી જોગવાઈ હતી, કેન્દ્ર સરકારે જે પણ નિર્ણય લીધો હતો તે સંવિધાનના હિતમાં લીધેલ નિર્ણય હતો. કોર્ટે જમ્મૂ કાશ્મીરમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરવાનો આદેશ આપ્યો છે. 

પાકિસ્તાનમાં ખળભળાટ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પાકિસ્તાની વિદેશ મંત્રાલયને કંઈ સૂઝ નથી પડી રહી. વિદેશ મંત્રાલય આ બાબતે નિવેદન જાહેર કરી શકે છે, પરંતુ આ બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પાકિસ્તાની મીડિયા અનુસાર વિદેશ મંત્રાલય સોમવારે સાંજે આ બાબતે પ્રતિક્રિયા આપી શકે છે. 

શહબાઝ શરીફનું નિવેદન
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી શહબાઝ શરીફે જણાવ્યું કે, ‘ભારતીય સુપ્રીમ કોર્ટે સંયુક્ત રાષ્ટ્રની રજૂઆતો વિરુદ્ધ નિર્ણય આપીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે લાખો કાશ્મીરીઓના બલિદાનને દગો આપ્યો છે. આ નિર્ણયને ન્યાયની હત્યાને માન્યતા આપવા પ્રમાણે જોવામાં આવશે.’ 

જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ભારતનો વિરોધ કર્યો હતો. અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભારતે કાશ્મીરમાં G20 બેઠક કરી હતી, જે બાબતે પાકિસ્તાને ઝેર ઓક્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ