બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli primary school principal commits suicide fed up with sarpanch's torture
Malay
Last Updated: 12:20 PM, 21 October 2023
Amreli News: આધુનિક ગુજરાતમાં જ્ઞાતિવાદના ઝેરની હચમચાવી દેતી ઘટના આવી છે. અમરેલીના જૂના જાંજરિયા ગામે સરપંચ અને શાળાનો સ્ટાફ જ્ઞાતિને લઇ અપમાનજનક શબ્દો કહેતા શાળાના આચાર્યએ જીવન ટૂંકાવી લીધું છે. જ્ઞાતિ વિષયક અપશબ્દો કહેવામાં આવતા આચાર્ય કાંતિભાઈ ચૌહાણએ આપઘાત કરી લેતા પરિવાર અને દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પરિવારજનો અને દલિત સમાજે એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાખીને સરપંચ, 3 શિક્ષિકાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો છે. હાલ અમરેલીના DySP સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા મૃતક આચાર્યના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સરપંચ અને શિક્ષક સ્ટાફથી કંટાળી કર્યો આપઘાત
અમરેલી જિલ્લાના જૂના જાંજરિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ ચૌહાણે સરપંચ અને શિક્ષક સ્ટાફના ટોર્ચરિંગથી ઝેરી દવા પીધી લીધી હતી. કાંતિભાઈએ ઝેરી દવા પી લેતા તેમને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આચાર્ય કાંતિભાઈ ચૌહાણે આપઘાત પહેલા વીડિયો વાયરલ કર્યો હતો.
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર
આ મામલે દલિત સમાજના આગેવાને જણાવ્યું કે, ગામના સરપંચ અને શાળાના સ્ટાફથી કંટાળીને કાંતિભાઈએ આપઘાત કરી લીધો છે. તેમના મૃતદેહને બગસરા પોલીસ સ્ટેશન સામે એમ્બ્યુલન્સમાં રાખવામાં આવ્યો છે. સમાજના આગેવાનો બધા અહીંયા ભેગા થયા છે. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ નહીં કરવામાં નહીં આવે.
સરપંચ ગ્રાન્ટમાંથી માંગતા હતા પૈસા
તેઓએ જણાવ્યું કે, કાંતિભાઈ ચૌહાણ સારા શિક્ષક હતા, તેઓ સ્કૂલના સમય કરતા પણ 2 કલાક વધારે બાળકોને ભણાવતા હતા. SMC કમિટીમાં જે ગ્રાન્ટ આવતી હતી, તે ગ્રાન્ટમાંથી આ સરપંચ તેમની પાસેથી પૈસા માંગતા હતા, તેવું કાંતિભાઈ ચૌહાણે 4/5 દિવસ અગાઉ વીડિયો જાહેર કરી કહ્યું હતું.
આપઘાત કરતા પહેલા બનાવ્યો હતો વીડિયો
કાંતિભાઈ ચૌહાણે આપઘાત પહેલા વીડિયો બનાવીને સરપંચ અને સ્ટાફ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે, ગામના સરપંચ મુકેશભાઈ અવારનવાર આવીને મને ધમકાવે છે તથા મારી પાસે ગ્રાન્ટની માંગણી કરે છે. ગામના લોકોને મારા વિરુદ્ધ ભડકાવે છે અને જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલે છે. ગામના ગ્રુપમાં મારા વિરુદ્ધ ખોટા મેસેજ કરીને ભડકાવે છે.
મને સ્કૂલે જતા પણ ડર લાગે છેઃ આચાર્ય કાંતિભાઈ
તેઓએ જણાવ્યું હતું કે, 'મને હવે સ્કૂલે જતાં પહેલા પણ ડર લાગે છે કારણ કે આ માણસ ક્યારે શું કરી નાખે એ કઈ કહી શકાય તેમ નથી. આ વ્યક્તિ ચોખ્ખું કહે છે કે હું તમારી તાત્કાલિક બદલી કરાવી નાખીશ.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh