બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Amla juice is the healthiest drink for diabetics
Pooja Khunti
Last Updated: 07:56 AM, 22 February 2024
ડાયાબિટીસની બીમારી આનુવંશિક કારણોસર અને જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. તે એક ક્રોનિક બીમારી છે. આનુવંશિક કારણોસર એટલે કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો તમને પણ ડાયાબિટીસ થઈ શકે છે. જીવનશૈલીના કારણે એટલે કે જો કોઈ વ્યક્તિ અયોગ્ય ખાનપાનનું સેવન કરે, દારૂ અથવા ધુમ્રપાનનું સેવન કરે તો પણ તેમને ડાયાબિટીસ થવાની સંભાવનાઓ છે. ડાયાબિટીસને નાબૂદ ન કરી શકાય પણ તમે તમારા ખાનપાનમાં ધ્યાન રાખી અને સમયસર દવાઓના સેવનને કારણે બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો. જાણો એવા શાકભાજીના જ્યુસ વિશે જેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહે છે.
પાલકનું જ્યુસ
ડાયાબિટીસના દર્દીઓએ પાલકના જ્યુસનું સેવન કરવું જોઈએ. તેના સેવનથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તેમાં ફાયબર જેવા જરૂરી પોષક તત્વો હોય છે.
દૂધીનું જ્યુસ
ડાયાબિટીસના દર્દીઓએ દૂધીના જ્યુસનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું બ્લડ સુગર લેવલ નિયંત્રિત રહેશે. આ સાથે કેટલીક અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.
કાકડીનું જ્યુસ
તમે કાકડીના જ્યુસનું પણ સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓ માટે આ જ્યુસ ફાયદાકારક છે. આ સાથે કબજિયાત જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.
આમળાનું જ્યુસ
આમળાનું જ્યુસ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સ્વસ્થ પીણું છે. તેનું એક માત્ર કારણ એવું છે કે આમળામાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
વાંચવા જેવું: કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ ડ્રાયફ્રૂટ, વિટામિનથી છે ભરપૂર
કારેલાનું જ્યુસ
જો તમે તમારા બ્લડ સુગર લેવલને જલ્દી નિયંત્રિત કરવા ઇચ્છતા હોય તો તમારે કારેલાના જ્યુસનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના જે દર્દીઓ નિયમિત રીતે કારેલાના જ્યુસનું સેવન કરે છે, તેમણે દવાઓ પર ઓછું નિર્ભર રહેવું પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh