બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / This dry fruit is a panacea for diseases like cancer
Sanjay Vibhakar
Last Updated: 02:09 PM, 21 February 2024
મગફળીના બીજને ગરીબોનું બદામ કહેવામાં આવે છે. મગફળીમાં વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેના સેવનથી કેન્સર જેવી બીમારીથી છુટકારો મળી શકે છે. મગફળીમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન B હોય છે. મગફળીના સેવનથી અન્ય કેટલીક બીમારીઓથી પણ છુટકારો મળે છે.
ADVERTISEMENT
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા મગફળીનું સેવન કરવું
જો મગફળીનું સેવન કરવામાં આવે તો તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી સારા કોલેસ્ટ્રોલને વધારે છે. કારણકે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. તમે વજન ઘટાડવા માટે પણ મગફળીનું સેવન કરી શકો છો. મગફળીમાં હાજર ફાયબર શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT
ફેફસાના કેન્સરને દૂર કરે છે
મગફળીમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે ફેફસાના કેન્સરને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો નિયમિત રીતે મગફળીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી છુટકારો મળે છે. મગફળીમાં હાજર કેલ્શિયમ અને પ્રોટીન કુપોષણને દૂર કરવાનું કામ કરે છે.
વાંચવા જેવું: વજન ઘટાડવું હોય તો રાત્રે સૂતાં પહેલા પાણીમાં મિલાવીને પી જાઓ 3 ચીજ, ફટાફટ ઘટી જશે ચરબી, ફાંદ જશે અંદર
દરરોજ આ રીતે મગફળીનું સેવન કરવું જોઈએ
તમારે દરરોજ એક મુઠ્ઠી મગફળીનું સેવન કરવું જોઈએ. તમે મગફળીને પલાળીને ખાય શકો છો અને તમે તેને કાચી પણ ખાય શકો છો. મગફળીના બીજની ચીકી બનાવીને પણ તેનું સેવન કરવામાં આવે છે. તમે મગફળીના બીજને નમકીન બનાવીને પણ ખાય શકો છો. કેટલાક લોકો પીનટ બટરનું પણ સેવન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.