બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / amit shah exclusive interview
Kavan
Last Updated: 01:46 PM, 28 June 2020
અમિત શાહે જણાવ્યું હતું કે, ગલવાન ઘાટીમાં અથડામણ પર ભારતની પ્રતિક્રિયાને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગાંધીએ મોદી સરકાર પર સતત સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ “Surender Modi” સુધી ટ્વીટ પણ કર્યું. આ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પાર્લામેન્ટ હોવી જોઇએ. ચર્ચા કરોની તો આવો, કરીશું 1962 થી આજસુધી કરીશું
પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો ન આપવા જોઇએ
સમાચાર એજન્સી ANI સાથે એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, ચર્ચાથી કોઈ ડરતું નથી. પરંતુ જ્યારે દેશમાં યુવા સંઘર્ષ કરે છે, સરકારના સ્ટેન્ડ લઇને પગલા ભરી રહી છે. આવા સમયમાં પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદન આપવા યોગ્ય બાબત નથી.
કોરોના અને લદ્દાખની ગલવાન ઘાટીમાં ચાઇનાથી તણાવના સવાલમાં અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત બંન્ને જંગ જીતવા જઇ રહ્યું છે.
કોરોના સામેની જંગ ભારતે સારી રીતે લડી
ગૃહ મંત્રીએ કહ્યું કે ભારત સરકારના કોરોનાનો વિશ્વાસ છે સારી લડત લડી છે. હું રાહુલ ગાંધીને સલાહ આપી શકતો નથી, તે તેમના પાર્ટીના નેતાઓનું કામ કરી રહ્યા છે. કેટલાક લોકો 'વર્ક્રદ્રષ્ટા' હોય છે. ભારતે કોરોનાની જંગમાં સારી લડત આપી અને આપણા આંકડા દેશની તુલનાથી અલગ છે.
દિલ્હીમાં કોરોનાના કેસને લઇને ગૃહમંત્રીનું નિવેદન
દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર ગૃહમંત્રીના અમિત શાહે કહ્યું હતું કે જૂનના બીજા સપ્તાહમાં દિલ્હી ડેપ્યુટી મનીષ સિસોદિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, 31 જુલાઇ સુધી દિલ્હીમાં 5.5 લાખ કોરોનાના મામલા થશે. તેથી દિલ્હીની જનતામાં ભય જોવા મળ્યો, દિલ્હી સરકારે કહ્યું કે, દિલ્હી બહારના લોકોનો ઇલાજ દિલ્હીમાં નહીં થાય તે નિર્ણયને કેન્દ્ર સરકારે બદલ્યો.
દિલ્હીમાં કેન્દ્ર સરકારે 3 ટીમની રચના કરી
ગૃહમંત્રીએ કહ્યું કે, અમે તરત જ દિલ્હી સરકારને 500 ઓક્સિજન સિલિન્ડર, 440 વેન્ટિલેટર આપ્યા છે. એમ્બ્યુલન્સ માટે દિલ્હી સરકારે કહ્યું છે કે ખાનગી કંપનીઓની સાથે મળીને તમે તેમની જરૂરિયાતો પૂરી કરી શકો. આગામી સમયમાં દિલ્હી સરકારને વધુ મદદ પણ આપવામાં આવશે. દિલ્હીની હોસ્પિટલોની હાલત સુધારવા માટે એઈમ્સ દ્વારા ટેલિફોનિક માર્ગદર્શનની ગોઠવણ કરી. ડેડિકેટેડ નંબર પર કોલ કરવા પર, એઈમ્સના ડોક્ટર ગાઇડન્સ આપે. અમે 3 ટીમો બનાવી છે, જેમાં દિલ્હી સરકાર અને એઈમ્સના ડોકટરો અને આઇસીએમઆરના નિષ્ણાતો છે. તેઓએ તમામ સ્થાનોની ખામીઓ સુધારવા માટે તમામ પ્રયત્નો કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ