બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ameerpura village of Patan is waterlogged even after three days of rain

મુશ્કેલી / VIDEO: પાટણના આ ગામમાં વરસાદ બાદ ત્રણ દિવસથી કમરસમા પાણી ભરાયા, તંત્રમાંથી કોઈ મદદે ન આવ્યું, મહિલાઓએ કહ્યું સરપંચથી લઈને નેતા કોઇ દેખાતું નથી

Malay

Last Updated: 03:14 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan News: પાટણના અમીરપુરા ગામમાં વરસાદના ત્રણ દિવસ બાદ પણ કમરસમા પાણી, વહીવટી તંત્રની કોઈ જ મદદ ન મળતા સ્થાનિકોમાં પણ જોવા મળી રહ્યો છે રોષ

  • અમીરપુરા ગામમાં હજી પણ નથી ઓસર્યા વરસાદી પાણી
  • 30 જેટલા પરિવારો પોતાના ઘરમાંથી ઉલેચી રહ્યા છે વરસાદી પાણી
  • ત્રણ દિવસથી અમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છીએઃ સ્થાનિકો

Patan News: ગુજરાતમાં લાંબા વિરામ બાદ શનિવારથી વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના ચોથા રાઉન્ડમાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. રાજ્યના કેટલાક વિસ્તારમાં તો મેઘરાજા ધમાકેદારની બેટિંગ કરી હતી. જેના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા હતા. નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, હાલ રાજ્યમાં વરસાદ પર બ્રેક લાગી છે, પરંતુ હજુ પણ કેટલાક ગામોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અમીરપુરાના ગ્રામજનોમાં ભારે આક્રોશ
પાટણ જિલ્લાના અમીરપુરા ગામમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. રાધનપુર તાલુકાના અમીરપુરા ગામે વરસાદના ત્રણ દિવસ બાદ પણ કમરસમા પાણી ભરાયેલા છે. 30 જેટલા પરિવારો હજુ પણ પોતાના ઘરમાંથી વરસાદી પાણી ઉલેચી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, 3 દિવસ અગાઉ રાધનપુરમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. 

ત્રણ દિવસ બાદ પણ કમરસમા પાણી
અમીરપુરા ગામમાં પાણી ભરાયેલા રહેતા ગામમાં રોજગારની તમામ કામગીરી પણ ઠપ્પ પડી ગઈ છે. તો બીજી બાજુ આ ગામમાં વહીવટી તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામમાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા વચ્ચે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 

ઘરમાં ખાવા પીવાનું બધું જ બગડી ગયુંઃ સ્થાનિક મહિલા
વહીવટી તંત્ર પર રોષ વ્યક્ત કરતા ગામની મહિલાઓએ જણાવ્યું કે, ઘરમાં પાણી ભરાઈ ગયા છે, કોઈ ધારાસભ્ય અમારી સંભાળ લેતું નથી. ઘરે ખાવા-પીવાનું કંઈ જ નથી, બધું જ બગડી ગયું છે.  

... મત લેવા માટે બે હાથ જોડીને આવે છેઃ સ્થાનિક મહિલા
અન્ય એક મહિલાએ જણાવ્યું કે, અમારે બહું જ તકલીફ છે, ખાવા-પીવાથી લઈને બધી જ તકલીફ છે. અમારી મદદ માટે કોઈ સરપંચ પણ નથી આવતા કે અન્ય કોઈ નેતા પણ નથી આવતા. જ્યારે તેઓને મત લેવા હોય ત્યારે તેઓ બે હાથ જોડીને આવે છે. ત્રણ દિવસથી અમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છીએ. અમારે કેટલા દિવસ ભૂખ્યા અને તરસ્યા દિવસો પાણીમાં કાઢવા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ