બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / All over Gujarat, Krishna devotees became eager for the birth festival
Vishal Khamar
Last Updated: 07:52 PM, 7 September 2023
જન્માષ્ટમી પ્રસંગે ડાકોરનાં દૂધનાં ગોટા ખાવા લોકો પડાપડી કરે છે. દરરોજ હજારો ભક્તો આ સ્વાદિષ્ટ ગોટાનો સ્વાદ માણે છે. ત્યારે આ ખાસ પ્રકારનાં ગોટા તજ, મરી-મસાલા અને દૂધથી બને છે. ભક્તો દહી અને મરચા સાથે આ ગોટાનો સ્વાદ માણે છે. બાપાલાલ ગોટાવાળાની પાંચ પેઢીથી પેઢીથી આ ગોટા બનાવવાનું અવિરત ચાલી રહ્યું છે. તેમજ સેંકડો લોકો ગોટા સાથે લોટ પણ ઘરે લઈ જાય છે. વધુમાં આ ખાસ પ્રકારનો લોટ અમેરીકા, લંડન, આફ્રિકા જેવા દેશમાં પણ મોકલાય છે.
બાલ યુવા અને વૃદ્ધ એકસમાન થઈ ભક્તો ઘૂમ્યા ગરબે
ડાકોરમાં ભક્તિનો માહોલ જામ્યો છે. ત્યારે ડાકોર મંદિર પરિસરમાં ગરબાનો માહોલ જામ્યો હતો. જેમાં બાલ યુવા અને વૃદ્ધ એકસમાન થઈ ભક્તો ગરબે ઘૂમ્યા હતા. તેમજ ડાકોરનાં ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ના નાદે ગરબે રમ્યા હતા. ગરબા રમતા ભક્તો ભાવુક બન્યા હતા.
મંદિર પરિસરમાં કરાઈ છે કડક સુરક્ષા વ્યવસ્થા
દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીનાં કલાકો બાકી છે. ત્યારે દ્વારકાધીશનાં જન્મની ભક્તો રાહ જોઈ રહ્યા છે. મંદિર પરિસર જય દ્વારકાધીશનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. તેમજ જન્માષ્ટમીને લઈ દ્વારકાધીશ મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સવારથી જ કૃષ્ણ મંદિરોમાં ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
કૃષ્ણ જન્મોત્સવને લઈ આજ સવારથી દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે. સવારથી ભક્તો કાળિયા ઠાકોરની ભક્તિમાં લીન થયા છે. ત્યારે સવારથી જ સુપ્રસિધ્ધ કૃષ્ણ મંદિરોમાં ભગવાનનાં દર્શન માટે ભક્તોનું ધોડાપુર ઉમટ્યું છે. ભગવાનના રિઝવવા માટે ભક્તો સવારથી ભક્તિ કરી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ મંદિરોમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ ભક્તોને કોઈ પણ હાલાકી ન થાય તે માટે તંત્ર ખડેપગે છે. તો બીજી તરફ પોલીસકર્મીઓ દ્વારા પણ ચુસ્ત સુરક્ષાના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઈસ્કોન મંદિર દ્વારા વિશેષ પૂજનનું કરાયું આયોજન
કૃષ્ણ જન્મોત્સવને લઈ અમદાવાદ ખાતે આવેલ ઈસ્કોન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જન્માષ્ટમીને લઈ ઈસ્કોન મંદિર ખાતે કૃષ્ણજન્મોત્સવને લગતા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે. તેમજ ઈસ્કોન મંદિર દ્વારા પણ વિશેષ પૂજનનું પણ આયોજન કરાયું છે. ત્યારે મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવને લઈ આરતી અને પૂજનનું પણ ખાસ આયોજન કરાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh