બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Khevna
Last Updated: 01:07 PM, 9 April 2022
ADVERTISEMENT
આલિયા ભટ્ટ પાસે નથી ભારતની નાગરિકતા
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા પણ અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝની જેમ ભારતીય નથી?
ADVERTISEMENT
આલિયા ભટ્ટ એ અભિનેત્રીમાંની એક છે જેણે ઘણા ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનો સમાવેશ કરી લીધો છે. તેની ટૂંકી કરિયરમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ 'RRR' માટે ચર્ચામાં રહેલી આલિયા હવે તેના લગ્નને લઈને ચર્ચામાં છે.
બોલિવૂડ સિનેમામાં પોતાનો ડંકો વગાડનાર આલિયા પાસે બ્રિટિશ નાગરિકતા છે અને આ જ કારણ છે કે તે ભારત સરકારને ચૂંટવા માટે પોતાનો વોટ પણ આપી શકતી નથી.
બ્રિટિશ નાગરિકતા મળી છે આલિયા ભટ્ટને
બ્રિટિશ નાગરિકતા અંગે તેના પિતા મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે આલિયાની માતા એટલે કે સોની રાઝદાન બ્રિટિશ મૂળની છે. તેનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. તેથી જ આલિયાને બ્રિટિશ નાગરિકતા મળી છે. આલિયાએ એક વખત ભારતીય નાગરિકતા ન હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે- દુર્ભાગ્યવશ હું મતદાન કરી શકતી નથી કારણ કે મારી પાસે બ્રિટિશ નાગરિકતા છે.
KRKએ પણ આ વાતને લઈને સાધ્યો હતો આલિયા પર નિશાનો
If I will become PM even for one hour, then my very first job will be deportation of @AkshayKumar @aliaa08 and @Asli_Jacqueline to their home countries.
— KRK (@kamaalrkhan) April 6, 2022
હાલમાં જ કમાલ આર ખાને આલિયાની નાગરિકતા પર નિશાનો સાધ્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'જો હું એક કલાક માટે પણ PM બનીશ તો મારું પહેલું કામ અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને જેકલીન ફર્નાન્ડિસને દેશની બહાર લઈ જઈને તેમના દેશમાં મોકલવાનું હશે.'
હવે લોકો આ સવાલ પૂછી રહ્યા છે કે ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી, તો શું આલિયા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ ભારતીય નાગરિકતા લેશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT