બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / akshaya tritiya 2023 gold purchase time and Dharmik significance

ધર્મ / અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી શા માટે કરવામાં આવે છે? જાણો આ તિથિનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ

Manisha Jogi

Last Updated: 12:52 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ માન્યતા અનુસાર અક્ષય તૃતીયા સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે જોડાયેલ છે. આ દિવસે માઁ લક્ષ્મીની પૂજા, અર્ચના અને મંત્ર જાપ તથા ખાસ ઉપાય કરવાથી ઘરમાં નાણાંની કમી થતી નથી.

  • અક્ષય તૃતીયાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ. 
  • આ દિવસે સોનાની ખરીદી શા માટે કરવામાં આવે છે?
  • માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

 Akshaya Tritiya: અક્ષય તૃતીયા એક એવો પાવન અવસર છે. હિંદુ માન્યતા અનુસાર આ પર્વ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે જોડાયેલ છે. આ દિવસે વિધિ વિધાન સાથે માઁ લક્ષ્મીની પૂજા, અર્ચના અને મંત્ર જાપ તથા ખાસ ઉપાય કરવાથી ઘરમાં નાણાંની કમી થતી નથી. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુની પૂજા અને સોનુ ખરીદવામાં આવે છે. સોનુ ખરીદવા બાબતે શું માન્યતા છે, તે અંગે અમે તમને વિગતવાર માહિતી જણાવી રહ્યા છીએ. 

અક્ષય તૃતીયા: 22 એપ્રિલ 2023 
પૂજા મુહૂર્ત: સવારે 07:49 વાગ્યાથી બપોરે 12:20 વાગ્યા સુધી
સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત: સવારે 07:49 વાગ્યાથી બપોરે 12:20 વાગ્યા સુધી

સોનુ શા માટે ખરીદવામાં આવે છે?
હિંદુ માન્યતા અનુસાર વૈશાખ માસની શુક્લપક્ષની ત્રીજને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ તિથિના રોજ બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ થયો હતો. આ કારણોસર આ દિવસને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા પરશુરામનો જન્મ થયો હતો, તેથી આ દિવસે ત્રેતાયુગની શરૂઆત થઈ હોવાનું પણ માનવામાં આવે છે. આ શુભ સંયોગને ધ્યાનમાં રાખીને આ તિથિને સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર આ પાવન તિથિએ જે પણ કામ કરવામાં આવે છે, તેનું ચાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર આ દિવસે જે પણ પૂજા અને શુભ કાર્ય કરવામાં આવે છે, તે ક્યારેય નિષ્ફળ જતું નથી. આ કારણોસર આ દિવસે સોનુ અને સોનાના આભૂષણ તથા પાત્રની ખરીદી કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી દિવસ રાત સોનાના ભંડારમાં વૃદ્ધિ થાય છે. 

કયા કાર્યો માટે શુભ માનવામાં આવે છે?
અક્ષય તૃતીયાના દિવસે માઁ લક્ષ્મી પૂજા, સોનાની ખરીદીની સાથે માંગલિક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાથી પણ શુભતા અને સફળતા પ્રાપ્ત થાય છે. આ કારણોસર આ દિવસે જમીનની ખરીદી, ગૃહ પ્રવેશ અને નવા બિઝનેસની શરૂઆત કરવામાં આવે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ