બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 12:52 PM, 17 April 2023
Akshaya Tritiya: અક્ષય તૃતીયા એક એવો પાવન અવસર છે. હિંદુ માન્યતા અનુસાર આ પર્વ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે જોડાયેલ છે. આ દિવસે વિધિ વિધાન સાથે માઁ લક્ષ્મીની પૂજા, અર્ચના અને મંત્ર જાપ તથા ખાસ ઉપાય કરવાથી ઘરમાં નાણાંની કમી થતી નથી. આ દિવસે માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુની પૂજા અને સોનુ ખરીદવામાં આવે છે. સોનુ ખરીદવા બાબતે શું માન્યતા છે, તે અંગે અમે તમને વિગતવાર માહિતી જણાવી રહ્યા છીએ.
અક્ષય તૃતીયા: 22 એપ્રિલ 2023
પૂજા મુહૂર્ત: સવારે 07:49 વાગ્યાથી બપોરે 12:20 વાગ્યા સુધી
સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત: સવારે 07:49 વાગ્યાથી બપોરે 12:20 વાગ્યા સુધી
સોનુ શા માટે ખરીદવામાં આવે છે?
હિંદુ માન્યતા અનુસાર વૈશાખ માસની શુક્લપક્ષની ત્રીજને શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ તિથિના રોજ બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો જન્મ થયો હતો. આ કારણોસર આ દિવસને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા પરશુરામનો જન્મ થયો હતો, તેથી આ દિવસે ત્રેતાયુગની શરૂઆત થઈ હોવાનું પણ માનવામાં આવે છે. આ શુભ સંયોગને ધ્યાનમાં રાખીને આ તિથિને સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનાર માનવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર આ પાવન તિથિએ જે પણ કામ કરવામાં આવે છે, તેનું ચાર ગણું ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર આ દિવસે જે પણ પૂજા અને શુભ કાર્ય કરવામાં આવે છે, તે ક્યારેય નિષ્ફળ જતું નથી. આ કારણોસર આ દિવસે સોનુ અને સોનાના આભૂષણ તથા પાત્રની ખરીદી કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી દિવસ રાત સોનાના ભંડારમાં વૃદ્ધિ થાય છે.
કયા કાર્યો માટે શુભ માનવામાં આવે છે?
અક્ષય તૃતીયાના દિવસે માઁ લક્ષ્મી પૂજા, સોનાની ખરીદીની સાથે માંગલિક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાથી પણ શુભતા અને સફળતા પ્રાપ્ત થાય છે. આ કારણોસર આ દિવસે જમીનની ખરીદી, ગૃહ પ્રવેશ અને નવા બિઝનેસની શરૂઆત કરવામાં આવે છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh