બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / Akshay Kumar and Rohit Shetty Film Sooryavanshi to release on 2nd April 2021

બોલિવૂડ / અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સૂર્યવંશી' આ દિવસે થશે રિલીઝ, OTT પર જોઈ શકાશે કે નહીં?

Noor

Last Updated: 12:21 PM, 4 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારના ચાહકો માટે સારાં સમાચાર છે. આ તારીખે અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થશે.

  • અક્ષય કુમારના ચાહકો માટે સારાં સમાચાર છે
  • આ તારીખે ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થશે
  • ચાહકોને જલ્દી થિયેટરોમાં તેમની ફેવરિટ કૉપ સીરિઝની આ નવી ફિલ્મ જોવા મળશે

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ કર્યાના થોડાં જ દિવસ બાદ દેશભરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ફિલ્મની રિલીઝ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. પરંતુ હવે લાગે છે કે ચાહકોને જલ્દી થિયેટરોમાં તેમની ફેવરિટ કૉપ સીરિઝની આ નવી ફિલ્મ જોવા મળશે.

હાલમાં જ કેન્દ્ર સરકારે થિયેટરોને 100 ટકા ઓક્યૂપેન્સી સાથે ચલાવવાની મંજૂરી આપી છે, જેના પછી માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ઘણી મોટી ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે. કોરોનાને કારણે હજી સુધી થિયેટરોમાં ફક્ત 50 ટકા સીટો જ ભરવાની છૂટ હતી. બોલિવૂડ હંગામાના એક અહેવાલ મુજબ રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સ સીરિઝની ફિલ્મ સૂર્યવંશી 2 એપ્રિલ 2021એ રિલીઝ થશે.

રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટી થિયેટરના માલિકો સાથે વાતચીત કરી રહ્યો છે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના કો-પ્રોડ્યૂસર પણ આ મીટિંગનો એક ભાગ રહ્યાં છે. મેકર્સ પેમેન્ટ, વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી, રેવેન્યૂ શેરિંગ, થિયેટર અને ઓટીટી રિલીઝ અને તેના વચ્ચેના તફાવત જેવા તમામ મુદ્દાઓ પર વાત કરી રહ્યાં છે. તેમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આ મામલે અસરકારક પરિણામ આવશે. સૂર્યવંશીના ચાહકો આતુરતાથી ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે.

જોકે, આ બધી બાબતો હોવા છતાં ચાહકોને હજી પણ સત્તાવાર ઘોષણાની રાહ જોવી પડશે. કારણ કે નિર્માતાઓ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા બાકી છે. તમને જણાવી દઈએ કે સૂર્યવંશી દ્વારા ખેલાડી કુમાર રોહિત શેટ્ટીની કૉપ યુનિવર્સમાં પ્રવેશ કરશે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર હતું, જેના પછી માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળશે. પરંતુ કોવિડની સ્થિતિ પછી આ ફિલ્મને એટલો ફાયદો મળશે? એ જોવાનું રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ