બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Air Pollution is affecting antibody response to covid 19

COVID-19 / સાવધાન ખતરો હજુ ટળ્યો નથી.! કોરોના વેક્સિનની અસરને કમજોર કરી રહ્યું છે હવાનું પ્રદૂષણ, રિસર્ચમાં થયો ખુલાસો

Vaidehi

Last Updated: 05:43 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટડીમાં સામે આવ્યું છે કે હવામાં ફેલાયેલ પ્રદૂષણ કોવિડ વેક્સિનની અસરને ઓછું કરી રહ્યું છે. સ્ટડી અનુસાર કોવિડ શરૂ થયા પહેલા જે લોકો પોલ્યૂશનનાં ઉચ્ચ સ્તરનાં સંપર્કમાં આવ્યાં હતાં તેમનામાં એન્ટીબોડી ઓછી હતી.

  • સ્ટડીમાં વાયૂપ્રદૂષણ અને કોરોનાને લઈને થયો ખુલાસો
  • વાયુ પ્રદૂષણ ઘટાડે છે લોકોમાં એન્ટીબોડીની માત્રા
  • પ્રદૂષણને લીધે કોવિડ વેક્સિનની અસર ઘટે છે

વાયૂ પ્રદૂષણ કેટલું ઘાતકી હોઈ શકે છે તે આ વાત સાથે સાબિત થાય છે. પ્રદૂષણ એ  દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંનું એક છે. તેના કારણે દરવર્ષે લગભગ 70 લાખ લોકોનું મોત થાય છે જેમાં 6 લાખ બાળકો પણ શામેલ હોય છે. આ રિપોર્ટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું છે . હવે એર પોલ્યુશન સાથે સંકળાયેલ વધુ એક જોખમ સામે આવ્યું છે. સ્ટડી અનુસાર કોવિડ શરૂ થયા પહેલાથી જે લોકો એર પોલ્યૂશનનાં ઉચ્ચ સ્તરનાં સંપર્કમાં આવ્યાં હતાં તેમાં કોવિડ વેક્સીનથી બનતી એન્ટીબોડી ઓછી હતી.

927 લોકો પર કરવામાં આવ્યું રિસર્ચ
એક રિપોર્ટ અનુસાર આ વિષય પર શોધખોળ કરનારી ટીમે 40થી 65 વર્ષનાં 927 લોકો પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યું. તેમણે આ લોકોનું બ્લડ સેમ્પલ લીધું. આ બ્લડ સેંપલ 2020માં ગરમીનાં દિવસોથી લઈને 2021માં વસંતનાં દિવસો સુધીનાં લેવામાં આવ્યાં હતાં. આ તમામ લોકોમાં કેટલાકે વેક્સિનનો એક ડોઝ તો અન્યોએ વેક્સિનનાં 2 ડોઝ લીધાં હતાં. આ લોકો સ્પેઈનનાં રહેવાસી હતાં જેમને એસ્ટરજેનેકા, ફાઈઝર અને મોડર્ના વેકિસનનાં ડોઝ લીધાં હતાં.

વાયુ પ્રદૂષણ ક્રોનિક સોજાને પેદા કરી શકે છે - ડો.રિતેશ શાહ
મુંબઈની ભાટિયા હોસ્પિટલનાં સીનિયર કંસલ્ટંટ ફિઝિશિયન ડો. રિતેશ શાહનું કહેવું છે કે વાયુ પ્રદૂષણ ક્રોનિક સોજાને પેદા કરી શકે છે જે વેક્સિનનાં પ્રભાવ પર નકારાત્મક અસર કરે છે. મહામારીથી પહેલાં વાયુ પ્રદૂષણનાં ઉચ્ચ સ્તરનાં સંપર્કમાં આવનારાં લોકોમાં કોવિડ-19 ની વેક્સિનની સામે એન્ટીબોડી બનાવવાની અસરને ઓછી કરે છે. તેમણે કહ્યું કે વાયુ પ્રદૂષણની ટી હેલ્પર લિમ્ફોસાઈટ્સ ટાઈપ 2 અને ટી હેલ્પર લિમ્ફઓસાઈટ્સ ટાઈપ 17 જેવા ઈમ્યૂન રિસ્પોન્સને વધારે છે જેના લીધે એલર્જી અને અસ્થમા જોવા મળે છે. એટલું જ નહીં આ બંને તત્વો એન્ટીવાયરલ ઈમ્યુન રિસ્પોન્સને બગાડવા માટે પણ કામ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ