બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 10:09 PM, 19 January 2023
અમદાવાદના વિકાસને ચાર ચાંદ લગાવવામાં રિવરફ્રન્ટનું યશસ્વી યોગદાન રહ્યું છે. ફાળો મહત્વનો રહ્યો છે. રિવરફ્રન્ટ ખાતે એકબાદ એક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટો અને આયોજનો થઈ રહ્યા છે. સી પ્લેન, અટલ બ્રિજ બાદ વધુ એક નઝરાણા અંગે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે જેના માટે ક્રૂઝની બોડી બનાવવાનું કામ આરંભી દેવામાં આવ્યુ છે. આ ક્રૂઝ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી લોકોને રિવરફ્રન્ટમાં સફર કરતુ જોવા મળશે.
આ ક્રૂઝમાં 2 માળ બનાવવામાં આવશે
મહત્વનું છે કે આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે વર્ષ 2011 ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જે કોઇ કારણસર રદ્દ થતા ફરી નવેસરથી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હવે પીરાણા રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝની બોડી બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે.વાસણા બેરેજ ખાતે ક્રૂઝની બોડી તૈયાર કરવામાં આવી રહીં છે. ક્રૂઝની બોડી તૈયાર થતા નદીમાં ઉતારાયા બાદ ઈન્ટિરિયર ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.
તાજેતરમાં થયેલા ટેન્ડરિંગ બાદ ક્રૂઝની બોડી કરાઈ રહીં છે તૈયાર
સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચે આ ક્રુઝ સફર કરશે. જેનો રૂટ દોઢ કલાકનો રહેશે. વધુમાં 2 માળ બનાવવામાં આવશે. ઉપરાંત 150 જેટલા લોકોની ક્ષમતા ધરાવશે. 2 માળના ક્રુઝમાં પ્રથમ માળ AC વાળો હશે જ્યારે બીજા માળમાં ઓપન સ્પેશ રાખવામાં આવશે. વધુમાં ક્રૂઝમાં બર્થ-ડે, ડાન્સ, એનિવર્સરી, કોર્પોરેટ પાર્ટીનું આયોજન થઈ શકે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત ક્રૂઝમાં લાઇવ મ્યુઝિક, લાઇવ શો, વિવિધ પરર્ફોર્મ્સ પણ કરી શકાશે.આ ક્રૂઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરાનો વર્ક ઓર્ડર રિવરફ્રન્ટ કંપનીએ અક્ષર ટ્રાવેલ્સ કંપનીને આપ્યો છે. MOU મુજબ અક્ષર ટ્રાવેલ્સ રિવરફ્રન્ટ કંપનીને વાર્ષિક 45 લાખ રૂપિયા ચૂકવશે જ્યારે લોકો પાસેથી સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ વચ્ચેની દોઢ કલાકની સવારીનો કેટલો ચાર્જ વસુલવો તે અક્ષર ટ્રાવેલ્સ નક્કી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh