બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / After Turkey, this state of India has now been hit by an earthquake, with a magnitude of 4.3.
Priyakant
Last Updated: 07:37 AM, 13 February 2023
સોમવારે સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. નેશનલ ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર ઉત્તર-પૂર્વીય યુક્સોમમાં હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 70 કિલોમીટરની ઉંડાઈએ હતું.
ગત રવિવારે આસામના કેટલાક ભાગોમાં પણ ચારની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મહત્વનું છે કે, આસામમાં ભૂકંપથી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના અહેવાલ મુજબ, આંચકો સાંજે 4.18 કલાકે અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર નગાંવ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના દક્ષિણ કાંઠે હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.
An earthquake of magnitude 4.3 on the Richter scale occurred today at around 4.15am 70km NW of Yuksom, Sikkim: National Center for Seismology pic.twitter.com/BrHa9lcvXC
— ANI (@ANI) February 13, 2023
રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગુવાહાટીથી 160 કિમી દૂર મધ્ય આસામના હોજાઈ નજીક હતું. પશ્ચિમ કાર્બી આંગલોંગ, કાર્બી આંગલોંગ, ગોલાઘાટ અને મોરી ગામ જિલ્લાના લોકોએ પણ આંચકા અનુભવ્યા હતા. આ ઉપરાંત બ્રહ્મપુત્રા નદીના ઉત્તર કિનારે આવેલા સોનિતપુરમાં રહેતા લોકોએ પણ આંચકો અનુભવ્યો હતો. પૂર્વોત્તરના તમામ રાજ્યો ઉચ્ચ ધરતીકંપની સંભાવનાવાળા વિસ્તારોમાં આવે છે અને આ વિસ્તારમાં ભૂકંપના આંચકા નિયમિતપણે અનુભવાય છે.
નોંધનીય છે કે, ભારતની લગભગ 59 ટકા જમીન વિવિધ તીવ્રતાના ભૂકંપ માટે સંવેદનશીલ છે. 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરો અને નગરો ઝોન-5માં છે અને સૌથી વધુ તીવ્રતાના ધરતીકંપનું જોખમ છે. ઝોન-5માં 9ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. ઝોન-5માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર અને સમગ્ર ઉત્તર પૂર્વનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh