બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / Politics / After liquor policy now Kejriwal govt seriously accused of drug scam, CBI probe ordered
Priyakant
Last Updated: 02:41 PM, 23 December 2023
Kejriwal Government News : દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં AAPના અનેક નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ કે, કથિત દારૂ કૌભાંડ બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલો સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદી સાથે સંબંધિત છે જેમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દિલ્હીની સરકારી હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓમાં ગેરરીતિ મળી આવતા ઉપરાજ્યપાલે CBI તપાસના આદેશ આપ્યા છે. એવો આરોપ છે કે, આ હોસ્પિટલો દવાઓ ખરીદવામાં બેદરકારી દાખવતા હતા અને તેઓ સરકારી અને ખાનગી લેબમાં ટેસ્ટિંગમાં નિષ્ફળ હોવાનું જણાયું હતું.
On the Vigilance Department's report of spurious drugs in Delhi government hospitals, Delhi LG VK Saxena writes to Chief Secretary Naresh Kumar directing him for an investigation and CBI inquiry into it.
— ANI (@ANI) December 23, 2023
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર દિલ્હીના LC વીકે સક્સેનાએ દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં આ દવાઓને લઈને તકેદારી વિભાગના રિપોર્ટ પર CBI તપાસના આદેશ આપ્યા છે. આ સાથે મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખીને તપાસ કરવા જણાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ દવાઓનું સરકારી અને ખાનગી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે તે નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતી નહોતી, જેના પછી પરીક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ સરકાર ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. પહેલા દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં પણ ઘણા નેતાઓની તપાસ ચાલી રહી છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો છે. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી અને સંજય સિંહની 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. CM કેજરીવાલને પણ ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યા છે. જેમાં તેને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા પણ બે વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા જેમાં CM કેજરીવાલ હાજર થઈ શક્યા ન હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh