બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 09:20 PM, 19 June 2023
Adipurush Controversy: ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થતાની સાથે જ વિવાદમાં ઘેરાઇ ગઇ છે. જ્યારે પહેલીવાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યું હતું. જે બાદ ટ્રેલરમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે ટ્રેલર લોકોને બહુ ગમ્યું ન હતું, પરંતુ તેમ છતાં દર્શકોને ફિલ્મ પાસેથી અપેક્ષા હતી કે કમ સે કમ ફિલ્મ તેમની અપેક્ષાઓ પર તો ખરી ઉતરશે જ.
16 જૂનના રોજ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તેના પર ચારે તરફથી આકરા પ્રહારો ચાલુ જ છે. પૌરાણિક ફિલ્મમાં જે પ્રકારના ડાયલોગ્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે લોકોને ગળે નથી ઉતરી રહ્યા અને તેના જ પરિણામે સોશિયલ મીડિયાથી લઈને શેરીઓમાં ફિલ્મને લઈને હોબાળો મચેલો છે.
Just a few hours to go… Get ready for the Final Adipurush Trailer, all set to launch today at 9PM IST!
— Om Raut (@omraut) June 6, 2023
Watch the trailer launch event LIVE: https://t.co/BFy1cA6W1x
Jai Shri Ram
जय श्री राम
జై శ్రీరాం
ஜெய் ஸ்ரீ ராம்
ಜೈಶ್ರೀರಾಂ
ജയ് ശ്രീറാം pic.twitter.com/srGebJfDoa
રામ બનવા માટે રાજી ના હતો પ્રભાસ
'બાહુબલી'માં પોતાની બોડી અને અભિનયથી સૌકોઈને દિવાના બનાવનાર પ્રભાસને પણ 'રામ'ના રૂપમાં લોકો પસંદ નથી કરી રહ્યા. પરંતુ ડિરેક્ટરે ખુલાસો કર્યો છે કે, શરૂઆતમાં પ્રભાસ પોતે આ રોલ માટે તૈયાર નહોતો. પરંતુ આખરે ઓમ રાઉતે તેને મનાવી લીધો હતો. આ વિશે ખુદ ડાયરેક્ટરએ ખુલાસો કર્યો છે.
ઓમ રાઉતએ કેવી રીતે મનાવ્યો?
મીડિયા સાથે વાત કરતા ઓમ રાઉતે કહ્યું હતુ કે, 'સાચું કહું તો, તેને સમજાવવું સરળ નહોતું. કારણ કે, રોગચાળા દરમિયાન જ્યારે આપણે સૌ બરાબરના ફસાયા હતાં ત્યારેમેં તેની સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેણે મને પૂછ્યું હતું કે તમે શું ઈચ્છો છો કે હું આ પાત્ર કરું? તો મેં કહ્યું હતું કે, 'તુ આ માટે એકદમ પરફેક્ટ છે? મારો કહેવાનો અર્થ હતો કે, હું ઈચ્છું છું કે તું ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે. હું ઈચ્છું છું કે, તુ રાઘવની ભૂમિકા ભજવ.
તો પ્રભાસે સવાલ કરતા કહ્યું હતું કે,પક્કુ? તો મેં હા કહ્યું હતું. પણ પછી તે વિચારવા લાગ્યો કે આખરે આ કેવી રીતે થશે? ઝૂમ કોલ પર આટલા મોટા સ્ટારને ફિલ્મનું વર્ણન કરવું અશક્ય હતું. તેથી તે જ દિવસે મેં પાઇલોટની વ્યવસ્થા કરી અને મુંબઈથી હૈદરાબાદ જવા નીકળ્યો.'
'હું હૈદરાબાદ ગયો હતો અને જ્યારે મેં તેને ફિલ્મ વિશે સંભળાવ્યું ત્યારે તેણે તરત જ હા પાડી દીધી. ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તે એક એવી વ્યક્તિ છે જેણે હંમેશા મારૂ સમર્થન કર્યું છે અને મારામાં વિશ્વાસ રાખ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh