બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / Politics / Aam Aadmi Party demanded so many seats from Congress for Gujarat: A decision will be taken for Haryana-Goa
Vishal Khamar
Last Updated: 02:37 PM, 9 January 2024
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓએ લોકસભા ચૂંટણીને લઈ સીટોની વહેંચણી પર ચર્ચા કરવા માટે નવી દિલ્હી ખાતે બેઠક બોલાવી હતી. આ દરમ્યાન બંને પાર્ટીઓ એકજુટ થઈ ભારતીય જનતા પાર્ટીને પરાજય આપશે. મીટીંગ બાદ સીટની વહેંચણીને લઈ વધુ માહિતી આપી ન હતી. પરંતું હાલ તેમણે એટલું કહ્યું હતું કે બંને પક્ષો એક સાથે મળીને ચૂંટણી લડશે. હાલ આમ આદમી પાર્ટી દિલ્હી તેમજ પંજાબમાં સત્તા પર છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ પાસે સીટોની આશા રાખી છે.
આમ આદમી પાર્ટી તરફથી @Chaitar_Vasava ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. 🔥🔥
— AAP Gujarat (@AAPGujarat) January 7, 2024
- @ArvindKejriwal #ReleaseChaitarVasava pic.twitter.com/AMf1LuDyI0
AAP દ્વારા લોકસભાનાં ઉમેદવારનું પ્રથમ નામ જાહેર
મળતી માહિતી મુજબ ઈન્ડિયા ગઠબંધનમાં રહેલ બંને પાર્ટીઓએ તેમની વચ્ચે થયેલ સમજૂતી કરાર પર અંતિમ નિર્ણય કર્યો છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પાસે ગુજરાતમાં 1 લોકસભા સીટની માંગણી કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલ કેજરીવાલ તેમજ પંજાબનાં સીએમ ભગવંત માને ભરૂચનાં નેત્રંગ ખાતે સભા યોજી હતી. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનાં પ્રમુખ કેજરીવાલ બે દિવસીય ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. જાહેર સભામાં કેજરીવાલે ભરૂચ સીટ પરથી લોકસભાનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.
નેતાઓએ આદિવાસીઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાડ્યું હતું
ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટો ભાજપ પાસે છે. ત્યારે આ આંકડો જાળવી રાખવા માટે ભાજપ દ્વારા કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે. ભરૂચ લોકસભા સીટની વાત કરીએ સમગ્ર વિસ્તાર આદિવાસી મતદારો છે. આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા ગત લોકસભા ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાડી દીધું હતું. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા સીટોમાંથી છ વિધાનસભા સીટ પર કરજણ, જંબુસર, વગરા, ઝઘડીયા, ભરૂચ, અંકલેશ્વર સીટ પર ભાજપનો કબ્જો છે. જ્યારે નર્મદા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા કબ્જો જમાવ્યો છે. ત્યારે વર્ષ 2019 માં ભરૂચ સીટ પરથી ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટીકીટ આપવામાં આવી હતી. જેમાં મનસુખ વસાવાને 6,37,795 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા શેરખાન અબ્દુલસાકુર પઠાણને ટીકીટ આપતા તેઓને 3,03,581 મત મળવા પામ્યા હતો. જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં છોટું વસાવાને 1,44,083 વોટ મળ્યા હતા. જ્યારે નોટામાં 6321 વોટ પડ્યા હતા. ત્યારે મનસુખ વસાવાને વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા.
બેઠક બાદ કોંગ્રેસનાં નેતાએ શું કીધું
કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતનાં સભ્યો સાથે આપ નાં નેતાઓ સંદીપ પાઠક, સૌરભ ભારદ્વાજ અને આતિશીએ બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસ તરફથી ગઠબંધન સમિતિનાં સંયોજક મુકુલ વાસનિક, રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત તેમજ અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે મીટીંગ બાદ કોંગ્રેસ નેતા વાસનિકે કહ્યું હતું કે ચૂંટણી સબંધિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે, અમે આગામી ચૂંટણીને લઈ ઘણા મુદ્દાઓ પર બેઠક કરી હતી. ત્યારે હજુ વાતચીત ચાલુ રહેશે અને અમે ફરી મળીશું. જે બાદ સીટોની વહેંચણી પર છેલ્લો નિર્ણય લઈશું. ત્યારે આ વખતે અમે એકસાથે ચૂંટણી લડશું. અમે ભાજપને પરાજય આપીશું. તેમજ સીટોની વહેંચણીને લઈ જલ્દી જ અમે નિર્ણય કરીશું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir