બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / A major reshuffle in the Gujarat Congress organization is expected
Priyakant
Last Updated: 11:42 AM, 2 November 2023
Gujarat Congress News : ગુજરાત કોંગ્રેસના સંગઠન માટે દિલ્લીમાં સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના સંગઠનમાં મોટા ફેરબદલ થઈ શકે છે. જેને ગઈકાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ આજે સતત બીજા દિવસે પણ કેંદ્રીય નેતૃત્વ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હાજર રહેશે. AICC મહાસચિવ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક બાદ હવે દિવાળી પહેલા મોટી જાહેરાત થઈ શકે છે.
દિલ્હીમાં બેઠકોનો દોર યથાવત
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ગઈકાલે દિલ્હીમાં AICC મહાસચિવ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાની સંગઠનના માળખાને લઈ બેઠક થઈ હતી. જોકે આજે ફરી એકવાર કેંદ્રીય નેતૃત્વ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, ટૂંક સમાયમાં જ ટીમ શક્તિસિંહ અને જિલ્લા-તાલુકા પ્રમુખોની નિમણૂંકો થશેતો નિષ્ક્રિય નેતાઓને બહારનો રસ્તો બતાવાશે. વિગતો મુજબ સંગઠનમાં યુવા અને સક્રિય કાર્યકર્તાઓને પ્રાધાન્ય અપાશે.
તો શું દિવાળી પછી કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરફાર ?
આ તરફ હવે બેઠક બાદ સંભવિત રીતે લોકસભા ચૂંટણી પહેલા એટલે કે હવે દિવાળી પછી તુરંત ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે. ગઈકાલે કોંગ્રેસ નેતાઓની દિલ્લીમાં બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદમાં આજે પણ વધુ એક બેઠકનું આયોજન કરાયું છે. આ તરફ હવે જિલ્લા અને તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ નવા માળખા અંગે ચર્ચા થશે. જેને લઈ હવે દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, સંગઠનમાં નિષ્ક્રિય નેતાઓને દૂર કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh