બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A devotee from Ahmedabad prepared a lock for the sanctum sanctorum of the Ayodhya Ram temple
Last Updated: 10:06 AM, 17 January 2024
ADVERTISEMENT
અયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. આખો દેશ રામભક્તિના રંગમાં રંગાયો છે.અને દેશના ખુણે ખુણેથી રામમંદિર માટે અલગ અલગ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના એક રામભક્તે 30 કિલોનું તાળું તૈયાર કર્યું છે. આ તાળાને રામમંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવ્યું છે.મહત્વનું છે કે, રામમંદિર પરિસરમાં કુલ 42 જેટલા દરવાજાઓ છે. જેમાંથી ગર્ભગૃહના દરવાજા પર આ તાળું લગાવવામાં આવ્યું છે. રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરનાર ભરત મેવાડાએ જ ગર્ભગૃહ માટે તાળુ તૈયાર કર્યું હતું.
ADVERTISEMENT

30 કિલો નું તાળુ તૈયાર કરવામાં આવ્યુંઃ ભરત મેવાડા
આયોધ્યામાં હજારો વર્ષ બાદ 22 જાન્યુઆરી ના રોજ ભગવાન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે રામમંદિરની વાત કરવામાં આવે તો મંદિર કેમ્પસમાં કુલ અલગ અલગ 42 જેટલા દરવાજાઓ રાખવામાં આવ્યા છે, ઉલેખીની છે કે દિલ્હી અક્ષરધામ મંદિર અને ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓ થયા છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને અમદાવાદની ફેક્ટરીમાં રામ મંદિરના દરવાજાઓ માટે 30 કિલોનું તાળુ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આ તાળું રામમંદિરના ગર્ભ ગૃહમાં લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રામ મંદિરની અખંડ જ્યોત સ્તંભ પણ અમદાવાદ થી મોકલવામાં આવી છે.
ADVERTISEMENT

મંદિરમાં વપરાયેલી તમામ ચીજ વસ્તુઓ 1500 થી 2000 વર્ષનું ચાલે તે રીતે બનાવવામાં આવી છે
આ બાબતે તાળું બનાવનાર ભરત મેવાડાએ જણાવ્યું હતું કે, જે કંઈ મેટલ વપરાઈ છે. તે બધી નોન ફેરસ મેટલ છે. શાસ્ત્રમાં પણ લખેલું છે અને આ જે તાળા બન્યા તે તમામ પિત્તળનાં બનેલા છે. અમે એવું ગણિત કરીને મોકલ્યું છે. આપણું આ જે મંદિર છે. તેની લગભગ બધી જ આઈટમો સ્ટોન, ફાઈન્ડેશનથી માંડીને જે પણ મેટલ વાપરી છે તેમાં એ તમામ ચીજ વસ્તુઓનું 1500 થી 2000 વર્ષનું કેલ્ક્યુલેશનએ લોકોએ કરેલું છે. આ લોક પણ આપણું એનાથી પણ વધુ વર્ષ ચાલશે.
ADVERTISEMENT
અખંડ જ્યોત મારી સ્પેશ્યલ બનાવટ છેઃ ભરત મેવાડા
અખંડ જ્યોત બાબતે ભરત મેવાડાએ જણાવ્યું હતું કે, આ અખંડ જ્યોત એક મારી સ્પેશ્યલ બનાવટ છે. આપ જોઈ શકો છો કે સિસમનું લાકડું છે. એમાં આ પિત્તળનું કાર્વીંગ કરેલું છે. સ્ટેન્ડ પણ સિસમનું છે. ત્યારે રામ લલાની કૃપાથી મને પણ ઈચ્છા થઈ કે મારી પણ એક વસ્તુ ત્યાં જાય એટલે આ મોકલાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.