બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A Child abandoned outside an orphanage in critical condition in Nadiad,
Kiran
Last Updated: 09:44 AM, 11 November 2021
ગુજરાતમાં એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જોતા લાગે છે કે હવે ગુજરાત પણ ક્રાઈમનું હબ બનવા જઈ રહ્યું છે. કેમ છેલ્લા કેટલાક દિવસોમાં આપઘાત, બળાત્કાર, અપહરણ, હત્યા, નશીલા પર્દાર્થોની હેરાફેરી તેમજ બાળકોને ત્યજી દેવાની ઘટના બની રહી છે, ગાંધીનગર, અમદાવાદ બાદ હવે શિક્ષણની નગરી ગણાતા નડિયાદમાં પણ બાળકને તરછોડી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.
રાજ્યમાં બાળકને તરછોડવાની વધુ એક ઘટના
નડિયાદમાં નવજાત બાળકને અનાથ આશ્રમમાં તરછોડી દેવાની ઘટના સામે આવ્યા બાદ આસપાસના લોકોમાં ચકચાર મચી ગયો છે. અજાણી વ્યક્તિ દ્વારા અનાથ આશ્રમના પ્રાગણમાં જ બાળકને મુકી ચાલી જતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. જો કે તરછોડાયેલા બાળકની તબિયત નાજુક હોવાનું મનાઈ રહ્યું છે, અનાથ આશ્રમના સંચાલકોએ બાળ સુરક્ષા વિભાગ તેમજ પોલીસને જાણ કરતા બાળક ત્યજી દેવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આવી રીતે બાળકને અનાથ આશ્રમમાં મુકી જવાને લઈને સવાલો ઉભા થયા છે, બાળકનું અપહણર બાદ બાળકને આશ્રમમાં ત્યજી દેવામાં આવ્યુ છે કે પછી અન્ય કોઈ કારણોસર બાળકને તરછોડી દેવામાં આવ્યું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદમાં અનાથ આશ્રમ બહાર નવજાત બાળકને ત્યજી દેવાયું
મહત્વનું છે કે રાજ્યમાં બાળક તરછોડવાની કિસ્સા વધી રહ્યા છે. આ અગાઉ અમદાવાદમાં 5 નવેમ્બરે એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી, તે પહેલા પણ 14 ઓક્ટોબરે શ્રીનંદ સિટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાડીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવ્યું હતું. સમાજમાં માનવીય મૂલ્યોનું કેટલી હદે પતન થઈ ગયુ છે, તે બાળક ત્યજી દેવાની ઘટના પરથી જોઈ શકાય છે અગાઉ પણ ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી જેમાં ઘટનાનો પર્દાફાશ થતા બાળકની માતાની હત્યા બાદ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હવે નડિયાદમાં તરછોડાયેલા બાળક મામલે કેવા ખુલાસા સામે આવે છે તે જોવાનું રહ્યું ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh