બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / 3 students died due to electrocution in Bhavnagar

ભાવનગર / ખેતરમાં મૂકેલું ઝટકા મશીન બન્યું 'મોતનું મશીન', વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓના મોત

Malay

Last Updated: 03:22 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના કાટીકડા ગામે વાડીમાં રાખેલા ઝાટકા મશીનથી વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓના દુઃખદ અવસાન થયા છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 

  • ભાવનગરમાં વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીના મૃત્યુ
  • મહુવાના કાટીકડા ગામે 3 વિદ્યાર્થીના વીજકરંટથી મૃત્યુ
  • 3 વિદ્યાર્થીઓને વાડીમાં રાખેલા ઝાટકા મશીનથી લાગ્યો કરંટ

ભાવનગર જિલ્લામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામાં વીજ કરંટ લાગતા 3 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યાં છે. હાલ આ અંગેની જાણ થતાં મહુવા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે અને વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. 

કાટીકડા ગામની સીમમાં વીજકરંટ 
મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવા તાલુકાના કાટીકડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં લગાવવામાં આવેલા ઝાટકા મશીનથી વીજકરંટ લાગતા 3 વિદ્યાર્થીના મૃત્યુ થયા છે. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

ગામમાં છવાયો શોકનો માહોલ
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે. આ ઘટનામાં કોની બેદરકારીથી વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. એક સાથે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,  શાળાએથી ઘરે જતી વખતે 3 વિદ્યાર્થીઓને વાડીમાં રાખેલા ઝાટકા મશીનથી કરંટ લાગ્યો હતો.

12 વર્ષના બાળકનું થયું હતું મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને બોરસદમાં વીજકરંટ લાગતા 12 વર્ષના બાળકનું મોત થયું હતું. બોરસદના કિંખલોડ ગામમાં બાળક બોર ખાવા માટે જઈ રહ્યો હતો, ત્યારે કેળની વાડીમાં લગાવેલા 24 વોલ્ટના ઝટકા મશીનથી કરંટ લાગવાના કારણે બાળકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સહિત ગ્રામજનો બનાવના સ્થળ પર એકઠા થઈ ગયા હતા. પરિવારના માસૂમનું મોત થતા ઘરમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. આ અંગે આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ