બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / 120 Ahirs saved 1300 Chinese soldiers to protect Maa Bharti in Ladakh, remembering that day the dragon still trembles
Vishal Khamar
Last Updated: 05:03 PM, 18 November 2023
દ્વારકામાં આહીર સેના દ્વારા આજે શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1962 ની સાલમાં 114 જેટલા આહીર ચીન સામેના યુદ્ધમાં લડતા લડતા શહીદ થયેલ હોઈ તેઓની યાદમાં આજે શ્રદ્ધાંજલિ રૂપે રેલી તેમજ ધ્વજારોહણ અને લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વીર શહીદોને શ્રદ્ધાંજલિ માટે ભવ્ય રેલી યોજાઇ
દ્વારકામાં આહીર સેના દ્વારા ભવ્ય કાર રેલીનું આયોજન કરાયું હતું. 1962 ની સાલમાં આહીર સમાજનાં 114 જેટલા જવાન ચીન સામેના યુદ્ધમાં વીર શહીદ થયેલ હોઈ તેમને શ્રદ્ધાંજલિ માટે ભવ્ય રેલી યોજાઇ હતી. આહીર સેના દ્વારા શહીદોની યાદમાં આજે શ્રદ્ધાંજલી રૂપે દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે.
આહીર સમાજ દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરાયું
આહીર સેના દ્વારા શૌર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે આહીર સમાજના 114 શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા રેલી તેમજ ધ્વજારોહણ અને ડાયરાનુ આયોજન કરાયું છે. જેમાં આજે વિશાળ સંખ્યામાં કારનો કાફલો કુરંગા ટોલ નાકા પાસેથી નીકળ્યો હતો. એક હજાર કારનો કાફલો દ્વારકા સુધી ચાલ્યો હતો. 114 શહીદોને આહીર સમાજ હંમેશા યાદ રાખે તેમજ આજે યોજાનારા લોક ડાયરામાં પણ તમામ વર્ણના લોકોને હાજરી આપવા આહીર સેના દ્વારા અનુરોધ કરાયો હતો.
શું બન્યું હતું 18 નવેમ્બર 1962 નાં દિવસે
18 નવેમ્બરનો દિવસ હતો. એ 1962ની સવારે લદ્દાખની ચુશુલ ઘાટી બરફથી ઢંકાયેલી હતી. વાતાવરણમાં એક પ્રકારની ખામોશી હતી. પરંતુ આ ખામોશી લાંબો સમય ન ટકી રહી. સાડાત્રણ વાગ્યે બપોરે ઘાટીનો શાંત મહોલ અચાનક જ ગોળીબારીની રમઝટથી ગાજી ઉઠયો. મોટી માત્રામાં ગોળાબારુદ અને તોપ સાથે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીના લગભગ 6000હજાર જેટલા જવાનોએ લદ્દાખ પર હુમલો કરી દીધો હતા.
રેજાંગ લા યુદ્ધથી બન્યું જાણીતું
આ યુદ્ધનુ નામ રેજાંગ લા કેમ પડયું તે ઈતિહાસ રસપ્રદ છે. રેજાંગ લા જમ્મૂ-કાશ્મીર રાજ્યના લદાખ વિસ્તારમાં ચુશુલ ઘાટીનો એક પહાડી ઘાટ છે. 1962ના યુદ્ધમાં 13મી કુમાઉ ટુકડીનો આ અંતિમ મોરચો હતો આ માટે આ યુદ્ધનું નામ રેજાંગ લા યુદ્ધ એવા નામથી ઓળખવામાં આવે છે.
આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ
13મી કુમાઉના આ 120 વીર જવાનો દક્ષિણ હરિયાણાના અહીરવાલ ક્ષેત્ર એટલે કે ગુડગાંવ, રેવાડી, નરનૌલ, અને મહેદ્રગઢ જિલ્લાના હતા. દ્વારકા ખાતે આહીર સમાજ દ્વારા વીર આહીર શહીદોના બલિદાન દિવસની યાદમાં વિશાળ રેલી કાઢી દ્વારકા ખાતે ધ્વજારોહણ કરી આહિર શૌર્ય દિવસની ઉજવણી કરી હતી.
રેજાંગ લા યુદ્ધથી બન્યું જાણીતું
આ યુદ્ધનુ નામ રેજાંગ લા કેમ પડયું તે ઈતિહાસ રસપ્રદ છે. રેજાંગ લા જમ્મૂ-કાશ્મીર રાજ્યના લદાખ વિસ્તારમાં ચુશુલ ઘાટીનો એક પહાડી ઘાટ છે. 1962ના યુદ્ધમાં 13મી કુમાઉ ટુકડીનો આ અંતિમ મોરચો હતો આ માટે આ યુદ્ધનું નામ રેજાંગ લા યુદ્ધ એવા નામથી ઓળખવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh