બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / 10 Memorable Moments of 2023, Due to Which India Stunned Around the World

યાદગાર પળો / G20 સમિટ, ચંદ્રયાન-3 અને ઓસ્કાર...: 2023ની એવી 10 યાદગાર પળો, જેના કારણે દુનિયાભરમાં વાગ્યો ભારતનો ડંકો

Priyakant

Last Updated: 09:58 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2023 Memorable Moments News: 2023ની સૌથી યાદગાર પળોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આ વર્ષે ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી

  • 2023ની સૌથી યાદગાર પળો, G20 સમિટ, ચંદ્રયાન-3
  • એશિયન ગેમ્સમાં મેડલની સંખ્યા 100ને પાર
  • દેશને નવું  સંસદ ભવન અને વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર મળ્યું

2023 Memorable Moments : વર્ષ 2023 અલવિદા કહી રહ્યું છે. આપણે બધા નવા વર્ષ 2024ને આવકારવા તૈયાર છીએ. મહત્વનું છે કે, આ પસાર થતા વર્ષમાં દેશે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ઘણા રેકોર્ડ બનાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આ વર્ષે ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે. આજે આપણે જાણીશું એવું જ કેટલીક વાતો. 

G-20 સમિટ
'ભારત મંડપમ' ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત સમિટમાં વિકસિત દેશોના સિક્કો નહોતો ચાલ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા મોટા નેતાઓએ સમિટમાં હાજરી આપી હતી.

Photo: Social Media

ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ
આ વર્ષે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જ્યારે ચંદ્રની સપાટી પર ઉતરાણના મામલે ભારત વિશ્વનો ચોથો દેશ છે.

Photo: Social Media

દેશને નવું  સંસદ ભવન મળ્યું
28 મેના રોજ PM મોદીએ નવું સંસદ ભવન દેશને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે સમર્પિત કર્યું હતું. 4 માળની નવી સંસદ ભવન કુલ 64500 ચોરસ મીટર વિસ્તારમાં બનેલ છે. 862 કરોડના ખર્ચે નવું સંસદ ભવન તૈયાર કરવામાં આવ્યું છે.

Photo: Social Media

ભારતમાં વિશ્વનું સૌથી ઝડપી 5G રોલઆઉટ
ભારતે વિશ્વનું સૌથી ઝડપી 5G રોલઆઉટ હાંસલ કરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. 5G નેટવર્ક દેશના 738 જિલ્લાઓ અને લગભગ 100 મિલિયન વપરાશકર્તાઓને સેવા આપે છે. 5G નું આટલું ઝડપી રોલઆઉટ એ ભારતની તકનીકી ક્ષેત્રમાં પ્રગતિનો મોટો પુરાવો છે.

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
ભારતને આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો ખિતાબ મળ્યો છે. ભારતે દાવો કર્યો છે કે, તે વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે, જે આનો ઉત્તમ પુરાવો છે.

એશિયન ગેમ્સમાં મેડલની સંખ્યા 100ને પાર
ભારતે આ વખતની એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો હતો. 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સાથે ભારતીય ખેલાડીઓએ દેશ માટે કુલ 107 મેડલ જીત્યા હતા. 72 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 100થી વધુ મેડલ જીત્યા.

PM મોદીને 5 દેશોમાંથી સર્વોચ્ચ સન્માન મળ્યું
વર્ષ 2023માં PM મોદીને પાંચ દેશોમાંથી સર્વોચ્ચ સન્માન મળ્યું હતું. PM મોદીને 2016 થી 2023 સુધી લગભગ 14 દેશો તરફથી વિશેષ સન્માન મળ્યા છે. આમાં ફિજીનું સર્વોચ્ચ સન્માન, ગિનીનું સર્વોચ્ચ સન્માન, ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન સામેલ છે.

ઓસ્કારમાં ભારતનો મહિમા
13 માર્ચ, 2023 ના રોજ સમગ્ર ભારત માટે એક ગર્વની ક્ષણ આવી જ્યારે RRR અને The Elephant Whisperers ના ગીત નાટુ-નાટુએ ઓસ્કાર 2023 જીત્યો. 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલી રાજામૌલીની ફિલ્મ RRRના નાટુ-નાટુ ગીતે ઓસ્કાર પહેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

Photo: Social Media

ભારતને મળ્યું સૌથી લાંબુ ક્રૂઝ MV વિલાસ 
PM નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ અને ભારતનું પ્રથમ નિર્મિત ક્રૂઝ શિપ એમવી ગંગા વિલાસ લોન્ચ કર્યું. આ ક્રૂઝ 51 દિવસમાં 3200 કિમીનું અંતર કાપે છે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ ખાતે સમાપ્ત થાય છે.

Photo: Social Media

ભારતને વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર મળ્યું
PM મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. સાત માળના આ મહાન મંદિરમાં એક સાથે 20 હજાર લોકો ધ્યાન કરી શકે છે. તેને પૂર્ણ કરવામાં લગભગ 20 વર્ષ લાગ્યાં. આ સ્વર્વેદ મહામંદિર 3,00,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ