બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Your carelessness can also cause damage to the eyes

આરોગ્ય / જો-જો આવી ભૂલ કરતા, નહીં તો તમારી આંખો નબળી થઇ જશે, ધ્યાનમાં રાખજો આ બાબત

Pooja Khunti

Last Updated: 03:35 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંખો શરીરનું મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકો તેની આંખોને લઈને બેદરકાર બની જાય છે. જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પહેલા એક ઉંમર પછી આંખોની દ્રષ્ટિ નબળી થતી હતી પરતું આજે નાની ઉંમરના લોકોની પણ આંખોની દ્રષ્ટિ નબળી થવા લાગી છે. જેના કારણે નાની ઉંમરથી જ ચશ્મા પહેરવા પડે છે. આ સમસ્યાનું કારણ ચિંતા, પ્રદૂષણથી થતી એલર્જી, વધુ ઉંમરને કારણે થતી સમસ્યાઓ વગેરે હોય શકે છે. આ સાથે તમારી બેદરકારીના કારણે પણ આંખોને નુકસાન થઈ શકે છે. જેના કારણે તમારી આંખોની દ્રષ્ટિ નબળી થઈ જાય છે. આંખો શરીરનું મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકો તેની આંખોને લઈને બેદરકાર બની જાય છે. જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ કરવો 
આજના સમયમાં લોકો 9 કલાક સુધી કમ્પ્યુટર પર કામ કરે છે. આ સાથે બાકીના સમયમાં ફોનનો ઉપયોગ કરે છે. જેના કારણે તેમની આંખોની દ્રષ્ટિ ખરાબ થઈ જાય છે. આજના સમયમાં બાળકોની આંખોની દ્રષ્ટિ ખરાબ થવાનું કારણ આ જ છે. 

હેલ્ધી આહારનું સેવન ન કરવું 
સ્વસ્થ શરીર માટે જરૂરી છે કે સ્વસ્થ આહારનું સેવન કરવામાં આવે. જો યોગ્ય આહારનું સેવન કરવામાં ન આવે તો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ જણાય છે. જે તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. 

પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરવું 
જ્યારે તમે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન નથી કરતાં ત્યારે શરીરમાં પાણીની ઉણપ આવી જાય છે. તેની ખરાબ અસર આંખો પર પડે છે. જેના કારણે આંખોમાં શુષ્કતા અને સોજા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાઓને કારણે આંખોની દ્રષ્ટિ નબળી થવા લાગે છે. 

વાંચવા જેવું: સૂતા પહેલા ભૂલથી પણ આ 5 વસ્તુને ન અડતા, રાતભર જાગશો, શરીર બગડવાનું પાક્કું

ધુમ્રપાન 
જે લોકો ધુમ્રપાન કરતાં હોય છે તેમની આંખો ખરાબ થવાની સંભાવના વધુ હોય છે. આ સાથે ધુમ્રપાનના કારણે અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. તેથી તમારે ધુમ્રપાનની આદત છોડી દેવી જોઈએ. 

તડકાના કારણે 
ઘણા લોકો તડકામાં જતાં સમયે ચશ્મા નથી પહેરતા. સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો અને બહાર ઊડતી ધૂળને કારણે તમારી આંખો ખરાબ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ