બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Yaksha question! What happened that the time has come to stop the 6 year old 2000 note, how will it affect the common man?

મહામંથન / યક્ષ સવાલ ! એવું તે શું થયું કે 6 વર્ષ જુની 2000ની નોટ બંધ કરવાનો વખત આવ્યો, સામાન્ય માણસો પર કેવી પડશે અસર?

Vishal Khamar

Last Updated: 08:59 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગત રોજ બે હજારની નવી નોટ છાપવામાં આવશે નહી. તેમજ 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં બદલાવી શકાશે. ત્યારે અમુક વેપારીઓ દ્વારા તો નોટ લેવાનું જ બંધ કરી દીધું છે.

નવેમ્બર 2016માં નોટબંધી પછી બે હજાર રૂપિયાની નોટ ચલણમાં આવી. એ વખતે ઉદ્દેશ એ હતો કે પાંચસો અને હજાર રૂપિયાની કરન્સી, નોટબંધીને કારણે માન્ય રહી ન હતી. બજારમાં કરંસીની જરૂરિયાતને ત્વરીત પુરી કરવા માટે બે હજારની નોટો, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ચલણમાં મુકી હતી. એ ઉદ્દેશ્ય પુરો થયા પછી બે હજારની નોટ સિવાયની કરંસી પર્યાપ્ત માત્રામાં મળી રહી છે. 2017માં જ રૂપિયા બે હજારની નોટનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું, એવું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહી રહી છે. હાલ માર્કેટમાં જેટલી પણ બે હજાર રૂપિયાની નોટ છે એ માર્ચ 2017 પહેલા ચલણમાં આવી એ જ છે. બે હજારની નોટનો પહેલા જ દિવસથી અર્થશાસ્ત્રીઓ વિરોધ કરી રહ્યાં છે. વાસ્તવમાં નોટબંધીનું મૂળ કારણ પણ કાળાનાણાંને રોકવાનું હતું. 
નોટબંધીને કારણે માર્કેટમાં ઉથલપાથલ ન થાય તે માટે બે હજારની નોટ લાવવી પડી હતી. એ વખતે નાણાં બજારના નિષ્ણાંતો કહી રહ્યાં હતા કે બે હજારની નોટથી જમાખોરી વધી જશે. સામાન્ય માણસ સમજી રહ્યો છે કે સરકારનું નોટબંધ કરવાનું કારણ પણ આ જમાખોરી હશે. 2016ની નોટબંધી પછી દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શન વધ્યા છે. પેમેંટ ઈકોસિસ્ટમ ડિજિટાઈઝ થવાના કારણે બે હજારની નોટ બંધ કરવાના નિર્ણયની માર્કેટમાં મોટી અસર નહી દેખાય એવું પણ નિષ્ણાંતોનું માનવું છે. અસરનો મતલબ છે કે 2016માં નોટબંધી પછી જે રીતે સામાન્ય માણસ લાઈનમાં લાગ્યો હતો એવું થવાનું નથી. 

  • 8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી
  • સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી
  • કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી

2 હજારની નોટ બંધ કેમ કરવી પડી? 
8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી. સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી. કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી. નોટબંધી બાદ પણ 2 હજારની નોટ છપાતા કાળુ નાણાની ફરિયાદો વધી. 2 હજારની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધી હતી. RBIને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળતી હતી.  ફરી એકવાર કાળા નાણા પર બ્રેક લગાવવા 2 હજારની નોટ કરી બંધ. 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે.

2 હજારની નોટ પરત લેવાના 4 કારણ

  • ક્લીન નોટ પૉલિસી પર અમલ
  • કરેન્સીની ઘટ પૂર્ણ થઈ ચૂકી છે
  • કેશલેસ ભારતને પ્રોત્સાહન
  • કાળા નાણા પર કંટ્રોલ મેળવવો  

ક્યારે કેટલી છપાઈ 2 હજારની નોટ?

વર્ષ 2016-17 350 કરોડ
વર્ષ 2017-18 15.10 કરોડ
વર્ષ 2018-19 4.70 કરોડ
વર્ષ 2019થી 2023 0

2 હજારની નોટની વિદાઈ 

માર્કેટમાં 2 હજારની નોટ 2 હજારની નોટની કિંમત
181 કરોડ 3.62 લાખ કરોડ

કેવી રીતે બદલાશે 2 હજારની નોટ? 

ક્યારથી બદલાશે નોટ 23 મે
ક્યાર સુધી બદલી શકાશે 30 સપ્ટેમ્બર
નોટ બદલવાની લિમિટ

એક વખતમાં 20 હજાર રૂપિયા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ