બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ભારત / Will Sonia Gandhi and Kharge not go to Ayodhya, will the Congress lose in the Lok Sabha elections? The survey surprised people
Pravin Joshi
Last Updated: 02:56 AM, 12 January 2024
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે. જેને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતાઓએ અભિષેક સમારોહનું આમંત્રણ ન સ્વીકાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) આક્રમક બની અને કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યો છે. વિરોધ પક્ષો માને છે કે આ એક વ્યક્તિગત મામલો છે અને ભાજપ આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યું છે.
શું સોનિયા-ખડગેની ગેરહાજરીથી કોંગ્રેસને નુકસાન થશે?
દરમિયાન એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં પૂછવામાં આવ્યું છે કે શું સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અયોધ્યા ન જવાના કારણે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થશે? આ સવાલના જવાબમાં લોકોએ ચોંકાવનારો જવાબ આપ્યો છે. સર્વે અનુસાર, 55 ટકા લોકોનું માનવું છે કે જો તેના ટોચના નેતાઓ અયોધ્યા નહીં જાય તો કોંગ્રેસને નુકસાન થશે. 30 ટકા લોકોએ કહ્યું કે આનાથી પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય, જ્યારે 15 ટકા લોકો આ પ્રશ્નનો જવાબ આપી શક્યા નહીં.
કોંગ્રેસે કહ્યું કે આ ભાજપની ઈવેન્ટ છે
તમને જણાવી દઈએ કે બુધવારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પાર્ટી વતી નિવેદન જારી કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું, જેને તેમણે સન્માન સાથે નકારી કાઢ્યું હતું.
ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે આયોજન
વધુ વાંચો : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં આતંકી હુમલાનું ષડયંત્ર! સુરક્ષા એજન્સીઓ એલર્ટ
જયરામ રમેશે કહ્યું કે કરોડો ભારતીયો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ માણસની અંગત બાબત છે, પરંતુ ભાજપ અને આરએસએસ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. સ્પષ્ટ છે કે અડધા બંધાયેલા મંદિરનું ઉદ્ઘાટન માત્ર ચૂંટણીલક્ષી લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh