બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Will Rahul Gandhi not be able to contest the 2024 elections now? Know how difficult the path has become
Megha
Last Updated: 02:02 PM, 7 July 2023
મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટનો આંચકો મળ્યો છે. કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો. રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રિચ્છકની બેન્ચ સવારે 11:00 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. શું ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધી 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે?
માનહાનિ કેસ: રાહુલ ગાંધીને સ્ટે આપવાનો ગુજરાત હાઈકોર્ટનો ઈન્કાર, હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી#Rahulgandhi #ModiSurnameCase #Surat #VTVGujarati pic.twitter.com/OsbIRRevhu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 7, 2023
રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો
હવે વાત એમ છે કે ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનો 2024ની લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો પણ મુશ્કેલ બની ગયો છે. જો કે હાઈકોર્ટના નિર્ણય બાદ રાહુલ પાસે હજુ પણ સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે. એવામાં હવે જો સુપ્રીમ કોર્ટ 'મોદી અટક' પર ટિપ્પણી કરવા બદલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાના નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકે તો રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકે છે.
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી કરતી વખતે કહ્યું હતું કે તેઓ અસ્તિત્વમાં નથી તેવા આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નીચલી અદાલતે સંભળાવેલી સજા પર સ્ટે આપવાનો કોઈ નિયમ નથી. આ માત્ર એક અપવાદ છે જેનો દુર્લભ કિસ્સાઓમાં આશરો લેવો જોઈએ. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરાયેલા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.
હાઈકોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો
ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી બે વર્ષની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. પણ જો ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હોત તો રાહુલ ગાંધી માટે 2024ની ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો હોત પરંતુ એવું થયું નહીં.
Matter will be taken up further: Congress on HC's refusal to stay Rahul's conviction in defamation casehttps://t.co/dlHNNYGDMB pic.twitter.com/omm53R7ePr
— Press Trust of India (@PTI_News) July 7, 2023
આગળનો રસ્તો શું છે
ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ હવે રાહુલ ગાંધી પાસે ડિવિઝન બેન્ચમાં અપીલ કરવાનો વિકલ્પ છે. રાહુલ ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારી શકે છે. હવે રાહુલ માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો રસ્તો પણ ખુલી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
23 માર્ચે સુરતની CJM કોર્ટે 2019માં મોદી સરનેમ અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા સંભળાવી હતી. બીજા જ દિવસે રાહુલ ગાંધીએ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ