બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Why today is called Narak Chaturdashi, just by lighting a lamp, one gets rid of the torments of hell.
Megha
Last Updated: 09:33 AM, 11 November 2023
નરક ચૌદશ અથવા નરક ચતુર્દશીનો તહેવાર દિવાળીના એક દિવસ પહેલા અને ધનતેરસના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આજે કાળી ચૌદશ છે જે ગુજરાતી કેલેન્ડર મુજબ દર વર્ષે આસો વદની ચતુર્દશી તિથિએ આવે છે. નરક ચતુર્દશીને રૂપ ચૌદશ, નરક ચૌદશ અથવા કાળી ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
યમદેવ, મા કાલી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા
વૈદિક કેલેન્ડર મુજબ, આ વખતે નરક ચતુર્દશીની તારીખ 11મી નવેમ્બરના રોજ બપોરથી શરૂ થશે જે 12મી નવેમ્બર એટલે કે દિવાળીના દિવસ સુધી ચાલુ રહેશે. આ વખતે ચતુર્દશી તિથિ 11મી નવેમ્બર 2023ના રોજ બપોરે 01:57 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 12મી નવેમ્બર 2023ના રોજ બપોરે 02:44 વાગ્યે સમાપ્ત થશે. નરક ચતુર્દશીના દિવસે યમદેવ, મા કાલી અને શ્રી કૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે અને સાંજે દીવા પ્રગટાવવાની પણ પરંપરા છે.
શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો
નરક ચતુર્દશીની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથાઓ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુરનો વધ કર્યા બાદ શ્રી કૃષ્ણએ બંધક બનેલ 16 હજાર મહિલાઓને પણ મુક્ત કરી હતી. કહેવાય છે કે આ મહિલાઓ લાંબા સમય સુધી નરકાસુરના જેલમાં બંધ હતી. આ જ કારણ છે કે આ દિવસને નરક ચતુર્દશી પણ કહેવાય છે.
નરક ચતુર્દશીના દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવાની પરંપરા છે. આ દિવસે, સૂર્યાસ્ત પછી, સાંજે 05.27 પહેલાં, દક્ષિણ તરફ મુખ કરીને ભગવાન યમરાજના નામ પર કુલ 14 દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે, દીવો પ્રગટાવીને અને હાથ જોડીને, વ્યક્તિ ભગવાન યમને પોતાના અને પરિવારના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh