બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Why does the lack of rain management system in the cities cause chaos? Where does the system go wrong?
Vishal Khamar
Last Updated: 10:14 PM, 29 June 2023
પાણી વગર જીવન શક્ય નથી એટલે ઋતુચક્રમાંથી જો ચોમાસાને બાદ કરી નાંખીએ તો પછી કેવી સ્થિતિ થાય તેની કલ્પના કરવી રહી. સામાન્ય સંજોગોમાં 15 થી 20 જૂન આસપાસ ગુજરાતમાં દસ્તક દેતું ચોમાસુ ગુજરાત ઉપર મોટેભાગે પોતાની મહેર વરસાવે છે.. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીકરણ વધવાની સાથે આડઅસર એ થઈ કે વિકાસના દ્રશ્યો તો સુંદર દેખાવા લાગ્યા પરંતુ વરસાદની મહેર દર વર્ષે લોકોની પરેશાની વધારતી ગઈ.
રાજ્યના મહાનગર અને અન્ય મોટા શહેરમાં હવે સ્થિતિ એવી છે કે સામાન્ય વરસાદ થાય અને પાણી ભરાય જાય. પાણી ભરાય પછી તેનો લાંબા સમય સુધી નિકાલ ન થાય, વરસાદની સિઝનમાં કે વરસાદ પહેલા પણ શહેરમાં ભૂવા પડી જાય, બ્રિજમાં તિરાડો પડી જાય, આ બધી મુશ્કેલી સરવાળે લોકોને જ ભોગવવાની આવે. વિવિધ શહેરમાં સ્થાનિક સત્તાધીશો ચોમાસા પહેલા એસી ચેમ્બરમાં બેસીને આગોતરા આયોજન તો કરે છે પણ આ આગોતરા આયોજન મોટેભાગે તેની ચેમ્બરથી બહાર આવતા નથી. સાદુ ઉદાહરણ આપીએ તો અંડરબ્રિજમાં દર વર્ષે પાણી ભરાય છે જેને પગલે અંડરબ્રિજ બંધ થઈ જાય છે પણ અંડરબ્રિજ બંધ થાય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી થશે કે કેમ તેનો જવાબ સત્તાધીશો પાસે હોતો જ નથી. વરસાદી મહેર જો સ્થાનિકો માટે કહેર બનતી હોય તો તેનાથી વધારે કમનસીબી શું હોય શકે, અને તેનું નિવારણ શું?
વરસાદની મહેરથી રાહત, તંત્રની અવ્યવસ્થાથી પરેશાની છે. મોટા શહેરોમાં વરસાદ બાદ પરેશાની પણ અપાર છે. દર વર્ષે મહાનગરોમાં પ્રિ-મોન્સૂન પ્લાન અંગે વ્યાપક ચર્ચાઓ થાય છે. કાગળ ઉપર પ્લાન સારો લાગે છે પણ વાસ્તવિકતા અલગ હોય છે. પ્રિ-મોન્સૂન કામગીરી ચોમાસાના આગમન છતા પણ ચાલુ રહે છે. દર વર્ષે શહેરોમાં રસ્તા ધોવાઈ જવાની, ભૂવા પડવાની સમસ્યા રહે છે. સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહે છે.
વરસાદની મહેર, શહેર માટે સંકટ!
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, મોટા શહેરમાં પરેશાની છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા છે. વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પાણી ઓસરતા નથી. કેટલાક વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ નથી. વરસાદ થોડો હોય કે વધુ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ નહીં. સોસાયટી, બજારો પાણીમાં ગરકાવ હોય તેવી સ્થિતિ છે. ચોમાસા પહેલાના આગોતરા આયોજનનો કોઈ ફાયદો નહીં. આગોતરા આયોજનમાં કચાશે કે બીજુ કોઈ કારણ તેનો કોઈ જવાબ નહીં.
અમદાવાદના ક્યા વિસ્તારમાં પરેશાની?
સરસપુર |
બાપુનગર |
નવા નિકોલ |
નિકોલ |
નરોડા પાટીયા |
સરદારનગર |
ભાટ ગામ |
કુબેરનગર |
મકરબા રોડ |
વડોદરામાં ક્યા વિસ્તારમાં પરેશાની?
SSG હોસ્પિટલ |
જેલ રોડ |
ઈન્દિરાનગર |
લહેરીપુરા |
અલકાપુરી |
સુરતના ક્યા વિસ્તારમાં પાણી ભરાયા?
પરવત પાટીયા |
ગોડાદરા |
પલસાણા |
સણિયા હેમાદ |
કડોદરા |
વરસાદ પછીની મુશ્કેલી કેમ ટાળવી?
અમદાવાદ
વડોદરા
સુરત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh