બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Why do we have to pay income tax? Know what are the benefits of filing ITR

તમારા કામનું / મહેનત કરીને પૈસા કમાઈએ છીએ એમ છતાં કેમ ભરવો પડે છે ઇન્કમ ટેક્સ? જાણો શું છે ITR ફાઇલ કરવાના ફાયદા

Megha

Last Updated: 12:34 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. પણ દિવસ-રાત આટલી મહેનત કર્યા જે પૈસા કમાઈએ છીએ તેના પર આપણે ઇન્કમટેક્સ કેમ ભરવો પડે છે? ચાલો તેના વિશે જાણીએ..

  • આપણે ટેક્સ કેમ ભરવો જોઈએ?
  • સરકાર નાગરિકો માટે શું કરે છે?
  • ITR ફાઇલ કરવાના ફાયદા

જુલાઈ મહિનો એટલે કે ટેક્સ ભરવાની સિઝન આવી ગઈ છે. સામાન્ય પગારદાર કરદાતાઓએ 31 જુલાઈ સુધીમાં તેમનું આવકવેરા રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. 31મી જુલાઈ પછી તમારે 5000નો દંડ ભરવો પડશે.ITR જેટલી જલ્દી ફાઈલ કરવામાં આવે તેટલું સારું. વર્તમાન વર્ષમાં ટેક્સ પ્રક્રિયામાં મોટો ફેરફાર આવકવેરા માટે છૂટ મળતી રકમ સંબંધિત છે. રેવન્યુ સેક્રેટરીનું કહેવું છે કે આ વખતે ITR ફાઈલ કરવાની સમયમર્યાદા વધારવાનો કોઈ વધારો કરવામાં નહીં આવે.

એવામાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. લોકોએ 31 જુલાઈ 2023 સુધીમાં નાણાકીય વર્ષ 2022-23 માટે તેમનું વ્યક્તિગત આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. બીજી તરફ, જે લોકોની આવક કરપાત્ર છે તેમના માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે દિવસ-રાત આટલી મહેનત કર્યા પછી પણ આપણે ઇન્કમટેક્સ કેમ ભરવો પડે છે? ચાલો આજે તેના વિશે જાણીએ.. 

આપણે ટેક્સ કેમ ભરવો જોઈએ?
ટેક્સ ભરતા સમયે ઘણા લોકોના મનમાં એવો સવાલ ઉદ્ભવતો હશે કે 'મારે શા માટે ટેક્સ ભરવો જોઈએ?  મારે મારા ખોરાક માટે, મારા ઘર માટે, મારી મુસાફરી માટે, મારી તબીબી સારવાર માટે, વાહન ખરીદવા માટે અને ઘણા રસ્તાઓ પર ટોલ ટેક્સ પણ ભરવો પડે છે તો હવે આ વધુનો ટેક્સ હું કેમ ભરું? બીજા ઘણા દેશોમાં આ બધી સુવિધાઓ પર કોઈ ટેક્સ લાગતો નથી તો આપણા દેશમાં જ કેમ લાગે છે? 

સરકાર નાગરિકો માટે શું કરે છે?
ભારત કેટલાક વિકસિત દેશોની જેમ સામાજિક સુરક્ષા અન્ય સુવિધાઓ પ્રદાન કરતું નથી. પણ ભારત સરકાર સરકારી હોસ્પિટલો જેમાં સામાન્ય રીતે તેઓ કોઈ પણ ખર્ચ વિના સેવા પૂરી પાડે છે, શિક્ષણ જેમાં મ્યુનિસિપલ અને સરકારી શાળાઓમાં ફી નહિવત્ છે, આ બધા દ્વારા આરોગ્ય સંભાળ સહિતની ઘણી જવાબદારીઓ નિભાવે છે. 

કલ્યાણકારી યોજનાઓ
આ સાથે જ સરકાર સબસિડીવાળા દરે રાંધણ ગેસ પણ આપે છે અથવા સબસિડી આપે છે. નિઃશંકપણે, સરકારનો મુખ્ય ખર્ચ રાષ્ટ્રીય સંરક્ષણ, માળખાકીય વિકાસ વગેરે પર કરવાનો હોય છે. સરકાર દ્વારા રોજગાર કાર્યક્રમો સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ પૂર્ણ કરવા માટે કરનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ વિભાગોમાં લાખો કર્મચારીઓ છે અને તેનો વહીવટી ખર્ચ સરકારે ભોગવવો પડે છે. ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થાય તેમ છતાં ન્યાયાધીશો, મેજિસ્ટ્રેટ અને ન્યાયિક કર્મચારીઓના પગાર અને ભથ્થા સરકારે ચૂકવવા પડે છે. આમ, સરકારની આ વિવિધ ફરજોને ધ્યાનમાં લેતા વ્યક્તિએ કાયદા મુજબ ટેક્સ ચૂકવવો જોઈએ. 

ITR ફાઇલ કરવાના ફાયદા
લોન લેવી સરળ બનશે

ઈન્કમ ટેક્સ રિટર્ન ભારત સરકાર તરફથી આવકના પુરાવાના પ્રમાણિત દસ્તાવેજ તરીકે કામ કરે છે. આ સિવાય ધિરાણ આપતી બેંકો અને સંસ્થાઓને ITR સબમિટ કરવાથી લોન મંજૂરીની પ્રક્રિયા સરળ બની શકે છે.

શિષ્યવૃત્તિ મેળવવી સરળ બનશે
કેટલાક શિષ્યવૃત્તિના કેસોમાં, તેના માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ તેમના આવકવેરા રિટર્નનો પુરાવો સબમિટ કરવાની જરૂર પડી શકે છે.' ઉદાહરણ તરીકે, કેટલીક વિશેષ સરકારી શિષ્યવૃત્તિઓ છે, જે મુજબ સમગ્ર પરિવારની આવક ચોક્કસ મર્યાદાથી ઓછી હોવી જોઈએ.

વિઝા
વિઝા અધિકારીઓને વિદેશી મુસાફરીની મંઝુરી આપવા માટે સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોના ITRની જરૂર પડે છે. આનું કારણ એ છે કે, જે વિદેશમાં પ્રવાસ કરવા ઈચ્છે છે તેણે વિઝા આપતા પહેલા તેમની આવકનું સ્તર ચકાસવું પડશે. તેથી, વિઝા અરજી કરતી વખતે ITR, બેંક સ્ટેટમેન્ટ અને અન્ય નાણાકીય દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ