બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Why do parents let their children leave? Is it appropriate for the society to have to rebuke its parents as they age?
Vishal Khamar
Last Updated: 10:14 PM, 22 November 2023
આમ તો આ મુદ્દો કંઈ આજકાલનો નથી પરંતુ વર્ષો જૂનો છે. વાત છે વૃદ્ધ મા-બાપને સાચવવાની જવાબદારીમાંથી છટકતા સંતાનોની. વધુ દુખની વાત એ છે કે જે દેશમાં મા-બાપનો પ્રેમ પામવા ભગવાન પણ ધરતી ઉપર અવતાર લે છે એ જ દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધે એ કેટલો મોટો વિરોધાભાસ છે. એક નાનકડો વીડિયો વાયરલ થયો જેમાં અશક્ત મા-બાપને કેટલાક માનવતાવાદી વૃદ્ધાશ્રમના સંચાલકો પોતાની સાથે લઈ જાય છે અને સાંત્વના આપે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે આજીવન તમારી સાથે છીએ.
અત્યારે ઘણાં એવા વૃદ્ધાશ્રમ છે કે જ્યાં વડીલો આનંદ અને મોજમસ્તી સાથે રહે છે પણ શું આપણે ખરેખર એવું કહી શકીએ કે વડીલોના ચહેરા ઉપર વૃદ્ધાશ્રમમાં દેખાતી ખુશી વાસ્તવિક છે?. વૃદ્ધાશ્રમના રૂમના ખૂણામાં બેઠેલા એ મા-બાપને પોતાના દીકરા કે દીકરીની યાદ નહીં આવતી હોય. કેટલાક કિસ્સા તો એવા પણ સાંભળ્યા કે જેમાં 4-4 સંતાનો હોય તેમ છતા કોઈ પણ સંતાન મા-બાપ સામે જોતું નથી તો કેટલાક કિસ્સામાં દિકરાની વહુ મા-બાપને રાખવા માંગતી નથી. કંઈ કેટલાય પીડાદાયક દ્રશ્યો છે જેને માત્ર તરછોડાયેલા એ મા-બાપ જ અનુભવી શકે છે. પણ આ પીડાદાયક દ્રશ્યોની પીડા કદાચ સભ્ય સમાજને થતી નથી અને જો મા-બાપની પીડા જોઈને સંતાનને પીડા નથી થતી તો પછી એ સભ્ય સમાજના સભ્ય કહેવાને લાયક નથી.
કાયદો શું કહે છે?
સરકારે વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે 2007માં કાયદો ઘડ્યો હતો. કાયદા હેઠળ વૃદ્ધોને નાણાકીય, તબીબી સુરક્ષા, જાળવણી અને રક્ષણના અધિકાર છે. સંતાનો મા-બાપની સારસંભાળ ન રાખે તો સિનિયર સિટીઝન એક્ટનો ઉપયોગ થઈ શકે છે. સંતાનો પાસેથી મા-બાપ પોતાની મિલકત પણ પરત લઈ શકે છે. બંધારણની કલમ 41 અને 46 મુજબ વૃદ્ધોને શાંતિ અને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir