બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Priyakant
Last Updated: 01:13 PM, 29 July 2023
ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા હવે વિપક્ષી પાર્ટીઓ નવું ગઠબંધન કર્યું છે. જેનું નામ છે INDIA. આ હવે નવા ગઠબંધન INDIA (Indian National Developmental Inclusive Alliance) ની ત્રીજી બેઠક 25 અને 26 ઓગસ્ટના રોજ મુંબઈમાં યોજાનાર છે. જોકે અહીંઅન્ય એક મોટી અપડેટ એ છે કે, આ બેઠક પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના એટલે કે NCPના સુપ્રીમો શરદ પવાર 1 ઓગસ્ટે પૂણેમાં PM મોદી સાથે એક કાર્યક્રમમાં મંચ શેર કરવામાં છે. જેને લઈ હવે આ નવા મહાગઠબંધન INDIA ના કેટલાક નેતાઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે,INDIA (Indian National Developmental Inclusive Alliance)ની બેઠક દરમિયાન કેટલાક સભ્યોએ પવારને તે સમારોહમાં મુખ્ય અતિથિ હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે.
તો શું હવે ખડગે શરદ પવારને કરશે અપીલ ?
આ તરફ સૂત્રોએ દાવો કર્યો હતો કે, એવા સૂચનો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે NCP નેતા શરદ પવાર સાથે વાત કરી શકે છે. આ સાથે તેમણે આ કાર્યક્રમમાં હાજરી ન આપવા વિનંતી કરી શકે છે. INDIA (Indian National Developmental Inclusive Alliance) ગઠબંધનના કેટલાક નેતાને લાગ્યું કે, જ્યારે 2024ની લોકસભાની ચૂંટણીમાં સમાન વિચારધારા ધરાવતા વિપક્ષી પક્ષો ભાજપનો સામનો કરવા એકસાથે આવી રહ્યા છે ત્યારે શરદ પવાર PM મોદી સાથે જો મંચ શેર કરે તો છે તો તેની વિપરીત અસર થશે.
ગઠબંધન INDIA ની છબીને થશે નુકશાન
આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, PM મોદી સાથે સ્ટેજ શેર કરીને શરદ પવાર ગઠબંધન INDIA (Indian National Developmental Inclusive Alliance)ની ઇમેજને નુકશાન પહોંચાડશે. આ સાથે જે ગઠબંધન INDIA ને બનાવવામાં ઘણા પ્રયત્નો કરી ચૂક્યા છે તે લોકોમાં પણ ખોટો સંદેશ જશે.
જાણો કયા કાર્યક્રમમાં PM મોદી-શરદ પવાર એકસાથે જોવા મળી શકે ?
વિગતો મુજબ તિલક સ્મારક મંદિર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે NCPના વડા શરદ પવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન શરદ પવાર PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડ આપશે.
25-26 ઓગસ્ટે મહારાષ્ટ્રમાં INDIA ની ત્રીજી બેઠક
આ તરફ આગામી 25-26 ઓગસ્ટે મહારાષ્ટ્રમાં જ વિપક્ષી પાર્ટીઓના નવા ગઠબંધન INDIA (Indian National Developmental Inclusive Alliance)ની ત્રીજી બેઠક યોજાનાર છે. આ બેઠકનું આયોજન શિવસેના (UBT) અને શરદ પવારના આગેવાની હેઠળની NCP દ્વારા કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir