બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / વિશ્વ / Who is now entitled to India's diamond set in the crown after the death of the Maharani?
Priyakant
Last Updated: 10:29 AM, 9 September 2022
બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે અવસાન થયું છે. બ્રિટનની રાણી ખાસ પ્રસંગોમાં જે તાજ પહેરતી હતી તેમાં ભારતના પ્રખ્યાત હીરા કોહિનૂરને સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિવાય તાજમાં 2,867 હીરા છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે, રાણીના મૃત્યુ પછી કોહિનૂર હીરો કોને આપવામાં આવશે ?
કોહિનૂર એલિઝાબેથ IIના મૃત્યુ પછી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો તેના વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. વાસ્તવમાં આ તાજ આગામી રાણીને સોંપવામાં આવશે. બ્રિટનની નવી રાણી ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા હશે, જે એલિઝાબેથ II ના સૌથી મોટા પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સની પત્ની છે, જે લાઇનમાં પ્રથમ છે. રાણીના મૃત્યુ બાદ હવે પ્રિન્સ ચાર્લ્સ પણ રાજા બનશે.
વાસ્તવમાં 1937માં કિંગ જ્યોર્જ VI ના રાજ્યાભિષેકની સ્મૃતિમાં આ તાજ બનાવવામાં આવ્યો હતો. આ સિવાય તાજમાં અનેક કિંમતી પથ્થરો પણ સ્થાપિત છે. તાજમાં 1856માં તત્કાલીન તુર્કીના સુલતાન દ્વારા રાણી વિક્ટોરિયાને ભેટમાં આપેલો મોટો પથ્થર પણ છે. ક્રિમિઅન યુદ્ધમાં બ્રિટિશ સેનાના સમર્થન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે તેમણે આ આપ્યું હતું.
રાજા બનશે પ્રિન્સ ચાર્લ્સ
કોહિનૂર 105-કેરેટનો હીરો છે, જે પ્લેટિનમ માઉન્ટ સાથે તાજ સાથે જોડાયેલ છે. તે બ્રિટિશ તાજની સામે ક્રોસની નજીક મૂકવામાં આવે છે. રાણી એલિઝાબેથે આ વર્ષે જાહેરાત કરી હતી કે જો પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે તો ડચેસ કેમિલાને પણ રાણીનું બિરુદ આપવામાં આવશે. આવી સ્થિતિમાં પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેક દરમ્યાન કેમિલાને કોહિનૂરની સાથે તાજ પણ સોંપવામાં આવશે.
શું તમે કોહિનૂર વિશે જાણો છો ?
લગભગ 800 વર્ષ પહેલા ભારતમાં એક ચમકતો પથ્થર મળ્યો હતો, જેનું નામ કોહિનૂર હતું. કોહિનૂર હીરા વિશ્વના સૌથી મોટા હીરાઓમાંનો એક છે. કુહ-એ-નૂર એટલે રોશનીનો પર્વત. એવું કહેવાય છે કે, તે ભારતની ગોલકોંડા ખાણમાંથી મળી આવ્યું હતું. 1849માં જ્યારે બ્રિટિશ વસાહત પંજાબમાં આવી ત્યારે તેને છેલ્લા શીખ શાસક દલીપ સિંહે રાણીને ભેટ આપી હતી. કોહિનૂર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. તે એ છે કે આ હીરા સ્ત્રી માલિકો માટે નસીબદાર છે, જ્યારે પુરુષ માલિકો માટે તે કમનસીબી અને મૃત્યુનું કારણ બની શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh