બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / WhatsApp banned record 45 lakh in February
Hiralal
Last Updated: 04:11 PM, 2 April 2023
ભારતમાં વોટ્સએપે એકાઉન્ટ બેનના મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં, વોટ્સએપે ફેબ્રુઆરી મહિનામાં નવા આઇટી નિયમો 2021 ના પાલનમાં ભારતમાં 45 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ શનિવારે આ માહિતી આપી હતી. વોટ્સએપે તેના માસિક અનુપાલન અહેવાલમાં જણાવ્યું છે કે, "1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે, 4,597,400 વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમાંથી 1,298,000 એકાઉન્ટ્સ પર સક્રિયપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વોટ્સએપને ફેબ્રુઆરીમાં 2,804 ફરિયાદ મળી
લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને દેશમાં ફેબ્રુઆરીમાં વધુ એક રેકોર્ડ 2,804 ફરિયાદ અહેવાલો મળ્યા હતા, અને રેકોર્ડ "એક્શન" 504 હતો. વોટ્સએપના દેશમાં લગભગ 500 મિલિયન યુઝર્સ છે.
શું કહ્યું કંપનીના પ્રવકતાએ
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ યૂઝર્સ સેફ્ટીમાં મળેલી ફરિયાદો અને વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો, તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરૂપયોગનો સામનો કરવા માટે વોટ્સએપની પોતાની નિવારક ક્રિયાઓનો સમાવેશ થાય છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે અમારા કામમાં પારદર્શક રહેવાનું ચાલુ રાખીશું અને ભવિષ્યના અહેવાલોમાં અમારા પ્રયત્નો વિશેની માહિતીનો સમાવેશ કરીશું.
સરકારે શરુ કરી ફરિયાદ અપીલ સમિતી
લાખો ભારતીય સોશિયલ મીડિયા યૂઝર્સને સશક્ત બનાવવા માટે, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રી, રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં કન્ટેન્ટ અને અન્ય મુદ્દાઓ વિશેની તેમની ચિંતાઓને દૂર કરવા માટે ફરિયાદ અપીલ સમિતિ (જીએસી) શરૂ કરી હતી. આઈટી મંત્રાલયે ગયા મહિને સુધારેલા આઇટી નિયમો, 2021 હેઠળ જરૂરિયાત મુજબ ત્રણ જીએસી સ્થાપવાની સૂચના આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh