બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / Politics / What is the AFSPA? It is being considered to remove it from Jammu and Kashmir
Priyakant
Last Updated: 08:11 AM, 27 March 2024
Armed Forces Special Power Act : કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને હટાવવા પર વિચાર કરી રહી છે. આ સાથે ખીણમાંથી સૈનિકોને હટાવવાની પણ યોજના છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે, કેન્દ્ર સરકારે સાત વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્રીય સૈન્ય દળોને પાછા ખેંચવામાં આવશે. તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસને તે વિસ્તારના ખાસ ઈન્ચાર્જ બનાવવામાં આવશે. યોજના પહેલેથી જ અમલીકરણ હેઠળ છે. તેમણે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીર પોલીસને મજબૂત બનાવી રહ્યા છીએ. હાલમાં સ્થાનિક પોલીસ સહાયક ભૂમિકામાં કેન્દ્રીય દળો સાથે તમામ આતંકવાદ વિરોધી કામગીરીનું નેતૃત્વ કરી રહી છે.
AFSP દૂર કરવાની વિચારણા
અમિત શાહે કહ્યું કે, અગાઉ દિલ્હીમાં સત્તા પર રહેલા લોકોને જમ્મુ-કાશ્મીર પોલીસ પર વિશ્વાસ નહોતો. તેમણે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીર પોલીસમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યા છીએ. તેઓ હવે તમામ ઝુંબેશમાં મોખરે છે. અગાઉ માત્ર સેના અને કેન્દ્રીય દળો જ નેતૃત્વ કરતા હતા. ચૂંટણી પછી બ્લુપ્રિન્ટને આગળ ધપાવતા શાહે કહ્યું કે, અમે ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંપૂર્ણપણે જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપીશું. શાહે એ પણ જાહેરાત કરી હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી હોવાથી અમે ટૂંક સમયમાં ત્યાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) ના કવરેજની સમીક્ષા કરવાનું વિચારીશું.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે થશે?
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ લોકશાહી પુનઃસ્થાપિત કરવી એ PM મોદી દ્વારા સંસદમાં આપવામાં આવેલ આશ્વાસન છે. શાહે કહ્યું કે, કલમ 370નો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને રાજકીય રીતે તરત જ મજબૂત કરવાનો ન હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમે ધીરજપૂર્વક જમ્મુ-કાશ્મીરના લોકોમાં અમારું સ્થાન બનાવીશું અને ત્યાં અમારું સંગઠન બનાવીશું. તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે અને ત્રણ પક્ષો સુધી મર્યાદિત વંશવાદી શાસનને નકારે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાનની ભાષા બોલતા તમામ લોકોને આ ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવામાં આવશે.
શું છે AFSPA નો અર્થ ?
AFSPA સુરક્ષા દળોને અમર્યાદિત સત્તા આપે છે. સુરક્ષા દળો કોઈની પણ વોરંટ વગર ધરપકડ કરી શકે છે, બળનો ઉપયોગ કરી શકે છે અથવા તો કોઈને ગોળી મારી શકે છે. જોકે બળનો ઉપયોગ કરતા પહેલા અને ગોળીબાર કરતા પહેલા ચેતવણી આપવી જરૂરી છે. જો સુરક્ષા દળો ઈચ્છે તો તેઓ કોઈપણને રોકીને તલાશી લઈ શકે છે. આ કાયદા હેઠળ સુરક્ષા દળોને કોઈના પણ ઘર કે પરિસરમાં તલાશી લેવાનો અધિકાર મળે છે. જો સુરક્ષા દળોને લાગે છે કે, આતંકવાદીઓ અથવા તોફાનીઓ કોઈ મકાન કે ઈમારતમાં છુપાયેલા છે તો તેઓ તેને પણ તોડી શકે છે. આ કાયદામાં સૌથી મોટી વાત એ છે કે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી સુરક્ષા દળો સામે કોઈ કેસ કે કાયદાકીય કાર્યવાહી થઈ શકે નહીં.
ક્યારે બન્યો હતો આ કાયદો ?
AFSPA એ એક કાયદો છે જે 'અવ્યવસ્થિત વિસ્તારોમાં' લાગુ કરવામાં આવે છે. AFSPA અવ્યવસ્થિત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોના જવાનોને "જાહેર વ્યવસ્થા જાળવવા" માટે જો જરૂરી હોય તો શોધ, ધરપકડ અને ગોળીબાર કરવાની વ્યાપક સત્તા આપે છે. આ કાયદો 11 સપ્ટેમ્બર 1958ના રોજ બનાવવામાં આવ્યો હતો. તે સૌપ્રથમ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યું હતું. 90ના દાયકામાં જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વધ્યો ત્યારે અહીં પણ આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir