બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / What can be done to save the daughters from the jihadist conspiracy, if not paid attention to, the coming time will be horrible
Vishal Khamar
Last Updated: 08:21 PM, 5 May 2023
જેહાદ, લવ જેહાદ, જેહાદી ષડયંત્ર આ બધા શબ્દો ભારતીય રાજકારણમાં ઘણાં સમયથી ચર્ચામાં છે. હવે કર્ણાટકની ચૂંટણી નજીકમાં છે ત્યારે ખુદ પ્રધાનમંત્રી જયારે તાજેતરની ચર્ચિત ફિલ્મ ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કરે એટલે સ્વભાવિકપણે કેન્દ્રવર્તી મુદ્દો બનવાનો છે. ધ કેરલ સ્ટોરીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર આકરો પ્રહાર કર્યો અને કહ્યું કે જે છળકપટભરી નીતિથી સમાજને ખોખલો કરે છે તેવા આતંકવાદીઓ સાથે કોંગ્રેસ ઉભી રહી છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મને લઈને પણ ઘણાં વિવાદ થયા જો કે કેરળ હાઈકોર્ટે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ફિલ્મમાં આપતિજનક કશું નથી અને સરવાળે ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો. હવે ફિલ્મ કે રાજકારણ બાજુ પર રાખીએ તો વાત આવે છે દીકરીઓને ષડયંત્રથી બચાવવાની. ધ કેરલ સ્ટોરી ભલે એક રાજ્યની કેટલીક યુવતીઓની વાત હોય પણ આજે શરૂઆત એક રાજ્યથી થઈ છે તો જો ધ્યાન નહીં આપવામાં આવ્યું તો આવતીકાલ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી રહી. આવા સમયે કડક કાયદાની સાથે સામાજિક રીતે આપણે શું ધ્યાન રાખી શકીએ, એક વ્યક્તિ કે સમાજ તરીકે આપણે શું કરી શકીએ કે દીકરીઓને જેહાદી ષડયંત્રથી બચાવી શકાય.
કર્ણાટકની ચૂંટણીમાં ધ કેરલ સ્ટોરી ફિલ્મનો મુદ્દો ઉછળ્યો છે. ખુદ પ્રધાનમંત્રીએ ફિલ્મનો ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર ફિલ્મનો સંદર્ભ લઈને આકરા પ્રહાર કર્યા હતા. PMનું કહેવું છે કે આતંકવાદને પોષતા લોકો સાથે કોંગ્રેસ ઉભી રહી છે. કોંગ્રેસ મતબેંકના રાજકારણ માટે તૃષ્ટિકરણને વેગ આપે છે. `ધ કેરલ સ્ટોરી' રિલીઝ પહેલાથી જ ચર્ચામાં છે. ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની કોર્ટમાં અરજીઓ પણ થઈ છે. જો કે નામદાર કોર્ટે ફિલ્મ ઉપર પ્રતિબંધની અરજી ફગાવી દીધી છે.
પ્રધાનમંત્રીએ શું કહ્યું?
સમાજને ખોખલો કરે એવું આતંકનું સ્વરૂપ વિકસી રહ્યું છે. આવા આતંકી સ્વરૂપનો કોઈ ચહેરો, અવાજ હોતો નથી. સમાજે આતંકના આવા સ્વરૂપની ચિંતા કરવાની જરૂર છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મ આતંકીઓની છદ્મ નીતિ ઉપર આધારીત છે. કેરળમા ચાલતા આતંકી ષડયંત્રનો ખુલાસો `ધ કેરલ સ્ટોરી' ફિલ્મમાં છે. કોંગ્રેસ આવી આતંકી પ્રવૃતિ કરનારા લોકો સાથે ઉભી છે. આતંકી પ્રવૃતિ કરનારા લોકો સાથે કોંગ્રેસ પાછલા બારણે સોદાબાજી કરે છે.
કેરળ હાઈકોર્ટે ફિલ્મ અંગે શું કહ્યું?
ફિલ્મ ઈસ્લામ વિરુદ્ધ નહીં ISIS સંગઠન ઉપર છે. ફિલ્મમાં આપતિજનક કશું જ નથી. કેરળનો ધર્મનિરપેક્ષ સમાજ ફિલ્મ જેવી છે એ જ સ્વરૂપે નિહાળશે. દેશના નાગરિકોને પોતાના ભગવાન, ધર્મ ઉપર વિશ્વાસ કરવાનો હક છે. કલાકારો પાસે કલાત્મક સ્વતંત્રતા હોય છે જેને બેલેન્સ કરવી પડશે. અનેક ફિલ્મમાં હિંદુ સન્યાસીને બળાત્કારી બતાવ્યા છે પરંતુ કોઈ હોબાળો થયો નથી. લોકોના મન અને મગજમાં ઝેર ભરે એવી સ્વતંત્રતા ઉપર અંકુશ લાગવો જોઈએ.
દીકરીઓ વિરુદ્ધ ષડયંત્ર?
`ધ કેરલ સ્ટોરી' ફિલ્મમાં શું છે?
કોંગ્રેસનો તર્ક શું છે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh