બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / 'Welcome if Chaitar Vasava joins BJP', the temperature of politics is high after Mansukh Vasava's statement, see why the waters of the Neva rose to the surface?

વડોદરા / 'ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ', મનસુખ વસાવાના નિવેદન બાદ રાજનીતિનું ટેમ્પરેચર હાઇ, જુઓ કેમ નેવાના પાણી મોભારે ચડયા?

Vishal Khamar

Last Updated: 11:18 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું કે, કેટલાક લોકો UCC નો પોલિટિકલી વિરોધ કરી રહ્યા છે. આદિવાસીઓનાં હિત માટે સરકાર કામ કરી રહી છે.

  • વડોદરામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન
  • કેટલાક લોકો UCCનો પોલિટિકલી વિરોધ કરી રહ્યા છે:  મનસુખ વસાવા 
  • ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ: મનસુખ વસાવા

2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાપણને સમર્પિત મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે. તે અનુસંધાને  વડોદરા મહાનગર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજી તેમજ મુ્ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી દ્વારા મોદી સરકારની વિવિધ સિદ્ધિઓ વિશે કાર્યકર્તાઓને માહિતગાર કર્યા હતા.    

UCC માટે હજી સરકાર કામ કરી રહી છે: મનસુખ વસાવા 
વડોદરામાં ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ  UCC મામલે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. ત્યારે ચૈતર વસાવાનાં રાજીનામાં આપવાની ચીમકી અંગે મનસુખ વસાવાએ કહ્યું હતું કે, ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે. તેમજ લોકસભાની 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. તેમજ જે.પી. નડ્ડાએ તમામ બેઠકો જીતવા માટે આહ્વાન કર્યું હતું. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ