બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Wearing Sunglasses constantly can damage your skin and cause depression

VIDEO / આ તો ખબર જ નહોતી! તડકામાં ચશ્મા પહેરવાથી પણ થઈ શકે છે નુકસાન, ત્વચા પર થાય છે ચોંકાવનારી અસર

Vaidehi

Last Updated: 12:58 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનગ્લાસ તડકાથી રક્ષણ માટે હોય છે પરંતુ શું તમને ખબર છે આ જ ચશ્મા તમારી સ્કીનને નુક્સાન પહોંચાડવાનું કામ કરે છે? એક્સપર્ટસે આ અંગે કેટલાક ખુલાસા કર્યાં છે.

  • તડકામાં સનગ્લાસ પહેરવાથી થઈ શકે છે નુક્સાન
  • ચશ્માનાં લીધે સ્કિન પડી શકે છે કાળી
  • ડિપ્રેશન જેવી સમસ્યાઓનો પણ બની શકો છો શિકાર

તડકાથી આંખો અને સ્કિનનું રક્ષણ કરવા માટે આપણે અનેક ઉપાયો કરીએ છીએ. જેમ કે સનસ્ક્રીન લગાવવું, તડકાથી બચવા મોઢું ઢાંકવું કે આંખો પર સનગ્લાસ પહેરવા.  પરંતુ શું તમે જાણો છો કે સનગ્લાસ આંખોનાં રક્ષણ સાથે તમારી સ્કિનને ભારે નુક્સાન પહોંચાડવાનું કામ કરે છે. એક્સપર્ટસ્ કહે છે કે આંખો પર પહેરાતાં સનગ્લાસ ચશ્માનાં લીધે આપણી સ્કિન કાળી પડી જાય છે. જાણો કઈ રીતે?

આંખ મારફતે મગજ સુધી પહોંચે છે સંદેશો
એક એક્સપર્ટે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તડકો વધવા કે ઘટવા અંગેનો સંદેશો આપણી આંખ મારફતે મગજ સુધી પહોંચે છે. જો તડકો વધારે છે તો મગજ સ્કિનને મેસેજ આપે છે કે  તેને લિટલ રેસેપ્ટર સાઈટ્સને બંધ કરવાનું છે. આવું થવાથી આપણી સ્કિન સનબર્ન થતી નથી.

પીનિયલ ગ્રંથિ પર ખરાબ અસર
દરેક વખતે ચશ્મા પહેરી રાખવાથી પીનિયલ ગ્રંથિ પર ખરાબ અસર થાય છે. તેનાથી મગજને મેસેજ પહોંચે છે કે વાદળો છવાયેલાં છે અને તેવામાં સ્કિન ડાર્ક થઈ જાય છે. એક્સપર્ટ અનુસાર પીનિયલ ગ્રંથિ પર અસર પડવાને લીધે તે મગજને સંદેશો આપે છે કે બહાર તડકો છે અથવા ગરમી છે. આવા સંજોગોમાં સ્કિન એક્સપોઝર માટે તૈયાર થઈ જાય છે અને આ સ્થિતિમાં વિટામિન D બને છે.

સ્ટ્રેસ અને ડિપ્રેશનનું પણ જોખમ
શું તમે જાણો છો કે સનગ્લાસનાં કારણે સ્ટ્રેસ, ઊંઘ ન આવવું કે પછી ડિપ્રેશન અનુભવવા જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. રિપોર્ટ અનુસાર જ્યારે આપણી આંખો નોર્મલ રીતે સનલાઈન ખેંચી નથી શકતી ત્યારે હોર્મોનલ બેલેન્સ બગડે છે. તેવામાં સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ પણ થવા લાગે છે. પ્રાકૃતિક રૂપે તડકો કે પ્રકાશ નથી મળતો ત્યારે આંખો પર તેની અસર થાય છે અને તેવામાં ઊંઘ ન આવવી જેવી સમસ્યાઓ ઊભી થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ