બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Vrat Udayapan Niyam in any vrat Fasting Rules Puja niyam

માન્યતા / કોઇ પણ વ્રત બાદ શું તમે પણ નથી કરતા આ કાર્ય, તો ખંડિત ગણાશે ઉપવાસ, જાણો શું કહે છે પૂજા-પાઠના નિયમ

Arohi

Last Updated: 03:48 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fasting Rules Puja: કોઈ પણ વ્રત પુરૂ કર્યા બાદ તેનું ઉથાપન જરૂર કરવું જોઈએ. ઘણા લોકો જાણકારીના અભાવમાં ઉથાપન નથી કરતા. એવામાં તેમને વ્રત કરવાનું ફળ નથી મળતું.

  • વ્રત કર્યા બાદ જરૂર કરો આ કાર્ય
  • નહીં તો પુરૂ નહીં ગણાય તમારૂ વ્રત 
  • જાણો શું છે પૂજાના નિયમો 

લોકો ભગવાનને પ્રસન્ન કરવા અને મનોકામના પુરી કરવા માટે ઘણા પ્રકારના વ્રત કરે છે. એકાદશી, પૂર્ણિમા, સોમવાર અને શુક્રવારે વૈભવ લક્ષ્મી વ્રત કરવામાં આવે છે આ બધા વ્રત બાદ તેનું ઉથાપન કરવામાં આવે છે. ઘણા લોકો જાણકારીના અભાવમાં ઉથાપન નથી કરતા. એવામાં તેમને વ્રત કરવાનું ફળ નથી મળતું. ઉથાપન વગર વ્રત નિષ્ફળ થઈ જાય છે. 

ઉથાપનનો અર્થ 
કોઈ વ્રત વિધિપૂર્વક સારી રીતે સંપન્ન થયા બાદ ધાર્મિક કાર્ય કરવામાં આવે છે જેને ઉથાપન કહેવામાં આવે છે. આ કોઈ વ્રત કરનારની સફળતાપૂર્વક સમાપ્તિ પર કરવામાં આવે છે. વ્રત કર્યા બાદ હવન અને પૂજન કાર્ય જરૂર કરવા જોઈએ. 

નંદી પુરાણ અનુસાર ઉથાપન વિશે કહેવામાં આવ્યું છે કે‘उद्यापनं विना यत्रु तद् व्रतं निष्फलं भवेत’ જેનો અર્થ છે ઉથાપન વગર કોઈ પણ કાર્ય સફળ નથી થતી. માટે કોઈ પણ વ્રત કરી તેના બાદ ઉથાપન જરૂર કરો. 

ઉથાપનનું મહત્વ 
હિંદૂ ધર્મમાં એકાદશી, પૂર્ણિમા, સોમવાર, મંગળવાર, બુધવાર અને માતા લક્ષ્મીની પૂજા માટે શુક્રવારનું વ્રત કરવામાં આવે છે. આ બધા વ્રતને કર્યા બાદ ઉથાપન કરવું ખૂબ જ જરૂરી હોય છે. એવી માન્યતા છે કે વ્રત વખતે કરેલી ભુલો અથવા તો કોઈ વ્રત છુટી ગયું હોય તો તને ઉથાપન કરીને વ્રતને પુરૂ કરી શકો છો. 

ઉથાપન વિધિ 

  • તમે જે વ્રતનું ઉથાપન કરવા માંગો છો તે જ દિવસે ઉથાપન કરવું જોઈએ. ઉથાપનના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરો. 
  • ઉથાપન હંમેશા વ્રત પુરૂ કર્યા બાદ જ કરવામાં આવે છે. તમે જેટલા વ્રત કરવાના સંકલ્પ લીધા હતા તેને પુરા થયા બાદ ઉથાપન કરો. 
  • જો તમે 11 વ્રતનું સંકલ્પ લીધુ હતું તો 12મી તિથી પર ઉથાપન કરો. 
  • ઉથાપન હંમેશા કોઈ બ્રાહ્મણ કે પુજારી સાથે જ કરાવવું જોઈએ. આ દિવસે વ્રત કરવાની સાથે જ આખો પરિવાર સાથે બેસીને પૂજા અને હવન કરે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ