બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vipul chaudhary big statement on alcohol after botad lattha kand
Dhruv
Last Updated: 10:54 AM, 28 July 2022
હાલ ગુજરાતમાં બોટાદના લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યને હલબલાવી મૂક્યું છે. તંત્ર પણ દોડતુ થઇ ગયું છે અને પોલીસથી માંડીને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. આ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂના કારણે 40થી વધુ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે રાજ્યમાં લઠ્ઠાકાંડની આવી સ્થિતિ વચ્ચે પાટણમાં અર્બુદાસેના જિલ્લા કારોબારીની એક બેઠક યોજાઇ હતી કે જેમાં મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ વિવાદિત નિવેદન આપ્યું છે.
સરકારે ગુણવત્તાયુક્ત દારૂના વેચાણની વ્યવસ્થા કરવી જોઇએ: વિપુલ ચૌધરી
વિપુલ ચૌધરીએ આ બેઠકમાં દારૂ અંગે વિવાદિત નિવેદન આપતા આ મુદ્દાએ ભારે જોર પકડ્યું છે. વિપુલ ચૌધરીએ દારૂ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'દૂધની જેમ દારૂમાં પણ ક્વોલિટી ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ. પીવો તો દૂધ જેવો દારૂ પીવો. સરકારે સહકારી ક્ષેત્રે દારૂની માફક દારૂનું વેચાણ કરવું જોઇએ. સરકારે ગુણવત્તાયુક્ત દારૂના વેચાણની વ્યવસ્થા કરવી જોઇએ.'
સળગતા સવાલો
બોટાદના લઠ્ઠાકાંડમાં કુલ 43 લોકો મોતને ભેટ્યાં છે
ઉલ્લેખનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે.
ભાવનગર સિવિલમાં દર્દીઓની સંખ્યા 104એ પહોંચી
બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર સિવિલમાં વધુ 2 દર્દીઓને લવાયા છે. રાત્રે વધુ 2 દર્દીઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં લવાયા હતા. ત્યારે ભાવનગરની સિવિલમાં લવાયેલા દર્દીઓની સંખ્યા 104 થઈ ગઇ છે. આ લઠ્ઠાકાંડ કોઇક ઘરના મોભીને પણ ભરખી ગયો જેના કારણે ઘરના બાળકો, પત્ની અને માતા-પિતા નિરાધાર થઇ ગયા હોય.
બોટાદ લઠ્ઠાકાંડ બાદ પાટણમાં અર્બુદાસેના જિલ્લા કારોબારીની બેઠકમાં ચૌધરી સમાજના અગ્રણી વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન, કહ્યું 'દૂધની જેમ દારૂમાં પણ ક્વોલિટી ગુણવત્તાયુક્ત દારૂ મળવો જોઈએ, સરકારે સહકારી ક્ષેત્રે દારૂની માફક દારૂનું વેચાણ કરવું જોઇએ'#BotadLatthaKand
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 28, 2022
વેજળકા ગામે ત્રણ બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો
બોટાદ લઠ્ઠાકાંડમાં અનેક પરિવારના માળા વિખેરાઇ ગયા છે. અત્યાર સુધીમાં 43 લોકોએ આ લઠ્ઠાકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં રાણપુર તાલુકાના વેજળકા ગામે બળવંત સિંધવ નામના 30 વર્ષના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મૃતક યુવક ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. ત્રણ બહેનોના એકના એક ભાઇનું મોત થતા પરિવાર કલપાત કરી રહ્યો છે. જેના કારણે વેજળકા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તથા સ્થાનિક ગ્રામજનોમાં દેશી દારૂના વેચાણને લઇને ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh