બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અમદાવાદ / Verdict today on plea seeking stay against Rahul Gandhi sentence in defamation case
Kishor
Last Updated: 07:53 AM, 7 July 2023
મોદી માનહાની કેસ મામલે આજે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામા આવી શકે છે. મહત્વનું છે કે બદનક્ષી અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત ઠેરવ્યા હતા. બાદમાં કસૂરવાર રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો પણ હુકમ કર્યો હતો. બાદમાં રાહુલ ગાંધીએ સજા પર સ્ટેની માગ સાથે અરજી પણ કરી હતી. જોકે આ અરજીને નકારી કાઢી સુરત કોર્ટે અરજી ફગાવી દિધી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ સુરતમાં કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાલ આ ચુકાદા પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
જસ્ટિસ હેમંત પ્રચ્છક સંભળાવશે ચુકાદો
હવે આ અંગે આજે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક ચુકાદો સંભળાવશે. નોંધનીય છે કે વેકેસન પહેલા બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. જોકે બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ તેણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને તેના સજાના આદેશને પડકાર્યો હતો. રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા, પરંતુ તેમની સજા પર સ્ટે માટેની તેમની અરજી 20 એપ્રિલે નામંજૂર કરવામાં આવી હતી.જે બાદ આજે ચુકાદો આવશે
રાહુલ ગાંધી સામેનો કેસ શું હતો?
પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક 'મોદી' કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir