બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 01:05 PM, 14 May 2023
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રીના વ્રતને ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વિવાહિત મહિલાઓ પતિના દીર્ઘાયું અને જીવનમાં સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. આ દિવસે વડના ઝાડની પૂજા કરવાનું વિધાન રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર જેઠ માસની શુક્લ પક્ષની તિથિએ વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે 19મેના રોજ વટ સાવિત્રીનું વ્રત છે. વ્રતની પૂજા અને શુભ મુહૂર્ત વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
વટ સાવિત્રી વ્રત શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર 19 મે 2023ના રોજ શુક્રવારે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. આ વ્રત 18 મેના રોજ રાત્રે 09:42 વાગ્યે શરૂ થશે અને 19 મેના રોજ રાત્રે 09:22 વાગ્યે પૂર્ણ થશે. સનાતન ધર્મમાં ઉદય તિથિ અનુસાર વ્રતની ઊજવણી કરવામાં આવી રહી છે. આ કારણોસર 19મેના રોજ આ વ્રત કરવામાં આવશે. પૂજાનું શુભ ફળ મેળવા માટે શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ.
વડના ઝાડની પૂજા શા માટે કરવામાં આવે છે?
ધાર્મિક માન્યતા અનુસાર વડના ઝાડમાં ત્રિદેવ- બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશનો વાસ હોય છે. આ ઝાડની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વડના ઝાડનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે, આ કારણોસર આ ઝાડ અક્ષય વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિવાહિત મહિલાઓ આ ઝાડની પૂજા કરે તો પતિને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે. ઉપરાંત દાંપત્ય જીવનની પરેશાનીઓ પણ દૂર થાય છે. પૂજા કરવા દરમિયાન મહિલાઓ હાથમાં રક્ષા સૂત્ર લઈને વડના ઝાડની પરિક્રમા વિધિ વિધાન સાથે પૂજા કરે છે. માનવામાં આવે છે કે, આ પૂજાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh