બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / vastu fengshui tips how and where to keep buddha statue in home

વાસ્તુ ટિપ્સ / ઘરમાં બુદ્ધની પ્રતિમા હોય તો આ ભૂલો ક્યારે ન કરશો, જાણો સાચી દિશા અને સ્થાન

MayurN

Last Updated: 09:59 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ અને ફેંગશુઈ મુજબ બુદ્ધને સમૃદ્ધિ અને સુખના સૂચક માનવામાં આવે છે. ઘરમાં બુદ્ધની પ્રતિમા રાખવી ખૂબ જ શુભ હોય છે.

  • ઘરમાં વસાવો બુદ્ધની પ્રતિમા
  • સુખ અને સમૃદ્ધિનો વધારો થાય છે
  • ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવશે

વાસ્તુ અને ફેંગશુઈ મુજબ બુદ્ધને સમૃદ્ધિ અને સુખના સૂચક માનવામાં આવે છે. ઘરમાં બુદ્ધની પ્રતિમા રાખવી ખૂબ જ શુભ હોય છે. બુદ્ધની પ્રતિમાને જોઈને જ ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે. બુદ્ધને ઘર અને ઓફિસમાં રાખવાથી ફાયદો થાય છે, પરંતુ જો તેને યોગ્ય રીતે ન રાખવામાં આવે તો તે તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આવો જાણીએ બુદ્ધને રાખવાનો સાચો રસ્તો શું છે.

સુતાં બુદ્ધ
માથા પર હાથ રાખીને પડેલી બુદ્ધની પ્રતિમા બુદ્ધના જીવનના અંતિમ દિવસો દર્શાવે છે. આવી મૂર્તિ સદ્ભાવ અને પરોપકારનું સૂચક છે. તેને રાખવાથી ઘરના લોકોનું વર્તન શાંત રહે છે અને કલેશ પણ થતી નથી. સૂતેલા બુદ્ધની પ્રતિમા પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ.

જમીનને સ્પર્શતા બુદ્ધ
બુદ્ધની એક મૂર્તિ છે જેમાં તેઓ પૃથ્વી પર હાથ ટેકવી રહ્યા છે, તેને ભૂમિસ્પર્શ કહેવામાં આવે છે. આવી પ્રતિમા બુદ્ધના જ્ઞાનનું પ્રતિક છે. તેને હોલ અથવા સ્ટડી રૂમમાં રાખવું ખૂબ જ શુભ છે. ભૂમિ સ્પર્શ પૂર્વ દિશા તરફ રાખવો જોઈએ.

આશીર્વાદ બુદ્ધ
આશીર્વાદ આપતી બુદ્ધની પ્રતિમા નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો આવી મૂર્તિ રાખવાથી લાભ થાય છે.

પ્રાર્થના કરતા બુદ્ધ
હાથ જોડીને બુદ્ધની પ્રતિમા ભક્તિ અને શ્રદ્ધા દર્શાવે છે. આવી પ્રતિમાને વાય બુદ્ધ કહેવામાં આવે છે. તેને ડાઇનિંગ હોલ અથવા લિવિંગ હોલમાં રાખવું જોઈએ.

મેડિસિન બુદ્ધા
હાથમાં ઓષધિઓના વાટકા સાથેની ભગવાન બુદ્ધની પ્રતિમાને મેડિસિન બુદ્ધ કહેવામાં આવે છે. બુદ્ધની આવી પ્રતિમા રાખવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

લાફિંગ બુદ્ધા
લાફિંગ બુદ્ધા ગૌતમ બુદ્ધથી અલગ માનવામાં આવે છે. સારા નસીબ મેળવવા માટે આવી મૂર્તિને ઘરમાં રાખવી શુભ છે. તેને ટેબલ પર ખૂણામાં અથવા ઘરના મુખ્ય દ્વાર પર રાખવું જોઈએ. લાફિંગ બુદ્ધા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ